SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ર. સાંપ્રત સહચિંતન – ભાગ ૧૦. વર્ણન કરવાનું સ્વીકાર્યું કે જેથી ફાગુની અંદર વસંતઋતુનું વર્ણન સંભવી શકે. આ રીતે આ કાવ્યમાં વસંતના વર્ણન વડે “ફાગુ' નામને કવિએ સાર્થક કર્યું છે. આ ફાકાવ્યમાં કવિએ વિરહિણી નાયિકાની અવસ્થા અને માનસિક વ્યથાનું જીવંત નિરૂપણ થયું છે. આ નિરૂપણમાં કોઇ ધાર્મિક કે સાંપ્રદાયિક પ્રભાવ પડ્યો નથી. એટલે નિર્ભેળ કાવ્યકલાની દષ્ટિએ પણ તેનું મૂલ્ય ઘણું છે. એથી જૈન-અજૈન એવી સર્વ ફાકૃતિઓમાં તે મહત્ત્વનું સ્થાન અધિકારપૂર્વક પ્રાપ્ત કરી શકે છે. વસંત ઋતુમાં નાયિકાનો વિરહ વધવાનાં નિમિત્તોનું વર્ણન કરતાં કવિ લખે છે : વનસ્પતી સવિ મોહરી રે, પસરી મયણની આણ; વિરહીનઈ કાંઉ કહેલ કરઇ, કોયલિ મૂકઈ બાણ. તરુવર વેલિ આલિંગન, દેષિય સીલ સલાય; ભરયૌવન પ્રિય વેગલ, ખિણ ન વિસરિઓ જાઈ. પોતાના હૃદયમાં વસેલા સ્થૂલિભદ્ર માટેનો કોશાનો પ્રેમ એટલો બધો ગાઢ છે કે દિવસ રાત વિરહણી કોશાને સ્થૂલિભદ્રના જ વિચારો આવે છે. રાતના ઊંઘ આવે એટલી વાર જ તે વિસરાય છે. પણ પાછું સ્વપ્ન ચાલુ થતાં એમાં સ્થૂલિભદ્ર જ દેખાય છે. તે પોતાના સ્વપ્નનો અનુભવ વર્ણવતાં કહે છે : તે સાજન કિમ વીસરાઈ જસ ગુણ વસિયા ચિંતિ, ઊંઘમાંહિ જુ વીસરાઇ, સુહણામાંહિ દીસંતિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002054
Book TitleSamprat Sahchintan Part 10
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1998
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy