Book Title: Sambodhi 2003 Vol 26
Author(s): Jitendra B Shah, N M Kansara
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 127
________________ Vol. XXVI, 2003 પુરાણોમાં પુરુષાર્થ અને નિયતિ દ્વારા નિર્દિષ્ટ જીવન-રાહ !રણો 121 ! નસીબ બેસી રહે છે. સૂઈ રહેનારનું સૂઈ જાય છે. ઊભા થનારનું નસીબ ઊભું થાય છે, જયારે ચાલનારનું નસીબ ચાલતું રહે છે. પુરાણો તરફ દષ્ટિપાત કરતાં વિષ્ણુપુરાણ, બ્રહ્મવૈવર્તપુરાણ, ગરુડપુરાણ, ભાગવતપુરાણ, મત્સ્યપુરાણ તથા દેવીભાગવતપુરાણમાં પુરુષાર્થ અને નિયતિનું વ્યાપક પ્રમાણમાં નિરૂપણ થયેલું જોવા મળે છે. વિષ્ણુપુરાણમાં પુરુષાર્થનું મહત્ત્વ દર્શાવતાં કહ્યું છે કે, 'सर्वे एव महाभाग महत्त्वं प्रततिसोद्यमाः । तथापि पुंसां भाग्यानि नोद्यमा भूतिहेतवः ॥' - વિષ્ણુપુરાન, ૨/૨૨/૪૪ શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં આઠમાં સ્કન્ધમાં નિરૂપિત સમુદ્ર મંથન પ્રસંગના માધ્યમ દ્વારા દરેક વ્યક્તિના જીવનમાં પરિશ્રમ થેર્યાનષ્ઠતાનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે. માનવજીવન સમુદ્રમંથન સમાન છે. તેમાં સુખદુઃખના પ્રસંગો સ્વરૂપ રત્ન તથા વિષ પામવાના પ્રસંગો ઉત્પન્ન થાય છે. બધા અનુકૂળ પ્રતિકૂળ પ્રસંગોનો સામનો કરવો પડે છે. શિવની માફક પ્રતિકૂળ દુઃખ સ્વરૂપનું પાન કરી કંઠ પ્રદેશમાં જ રાખવું જોઈએ. વિશાળ મનવાળા બનવું જોઈએ તથા અન્ય લોકોના શ્રેય માટે વ્યક્તિગત દુ:ખ - યાતનાઓ સહન કરવા તત્પર બનવું જોઈએ. ભાગવત પુરાણના દશમ સ્કન્દમાં કૃષ્ણજન્મ બાદ વ્રજમાં ધામધૂમપૂર્વક આનંદોલ્લાસના નિરૂપણ પછી મથુરામાં નંદ અને વસુદેવનું મિલન થાય છે. તે સમયે વસુદેવજીની ઉક્તિઓ દ્વારા ભાગવતકાર કહેવા માંગે છે કે વ્યક્તિ કર્મના પ્રભાવથી જ જીવન વ્યતીત કરે છે. કોની સાથે કેટલો સમય રહેવું તે કર્માધીન છે. આ પછી આ જ સ્કન્દમાં વ્રજનિવાસીઓ દ્વાર ઈન્દ્રને પ્રસન્ન કરવા માટે યજ્ઞની તૈયારીઓ જોતાં અને નંદબાબાના મુખે કૃષિપ્રધાન દેશમાં ઇન્દ્રની સ્તુતિ-પ્રસન્નતાથી ધનધાન્ય મેળવી શકાય છે. તે સાંભળતાં જ કૃષ્ણ વાસ્તવિક સ્થિતિ તરીકે કર્મનું મહત્ત્વ સમજાવતાં કહે છે કે, “પ્રાણી પોતાના કર્મ અનુસાર જ જન્મ-મૃત્યુ ગ્રહણ કરે છે. વ્યક્તિને તેના કર્મ અનુસાર જ સુખ-દુઃખ, ભય અને મંગલની પ્રાપ્તિ થાય છે. જીવ પોતાના કર્મો અનુસાર જ ઉત્તમ અને અધમ શરીરો ગ્રહણ કરે છે અને ત્યજે છે. કર્મ જ ગુરુ અને કર્મ જ ઈશ્વર છે.” બ્રાહ્મણે વેદોના અધ્યયન-અધ્યાપન દ્વારા, ક્ષત્રિય વ્યક્તિએ પૃથ્વીપાલન દ્વારા, વૈશ્ય વ્યક્તિએ વાર્તાવૃત્તિ દ્વારા અને શુદ્ર પરિચર્યા દ્વારા જીવનનો નિર્વાહ કરવો જોઈએ. મસ્યપુરાણ'માં નિમિ-વસિષ્ઠ સંવાદમાં નિમિ રાજાના શબ્દોમાં પુરુષાર્થનો મહિમા સુપેરે વ્યક્ત થયો છે. નિમિ કહે છે કે - ધર્મરૂપ ભાથાનું પથ્ય સેવતો માણસ મૃત્યુ પામીને પણ સુખ મેળવે છે. મનુષ્ય હંમેશાં કાલનું કાર્ય આજે કરવું જોઈએ અને ત્રીજા પ્રહરે કરવામાં આવતું કાર્ય સવારે પહેલા પ્રહરમાં કરવું જોઈએ. મનુષ્ય પોતાનું અભીષ્ટ કાર્ય પૂરું કર્યું છે કે નહીં, તેની મૃત્યુ રાહ જોતું નથી. ખેતર, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184