Book Title: Sambodhi 2003 Vol 26
Author(s): Jitendra B Shah, N M Kansara
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 137
________________ Vol. XXVI, 2003 સ્વામી દયાનન્દની કર્મમીમાંસા 131 જો એમ હોય, તો મદપાન કરનાર અભ્યાસીને મદ ઓછો ચઢે છે અને અનન્યાસીને બધું જ ચઢે છે, તેમ નિત્ય બહું જ પાપ-પુણ્ય કરનારને ઓછું અને કદીક કદીક થોડાં થોડાં પાપ-પુણ્ય કરનારને વધારે ફળ મળવું જોઈએ.” (સ. પ્ર. પૃ. ૬૮૨) એટલે જો નશાની માફક ફળની પ્રાપ્તિ માનીશું તો “જેવું કર્મ તેવું ફળ' વાળી સર્વમાન્ય માન્યતામાં દોષ આવશે. આમ, કર્મથી, સ્વભાવથી કે સંયોગથી કર્મના ફળની પ્રાપ્તિ થઈ શકતી નથી. ફલતઃ કર્મના ફળની પ્રાપ્તિ માટે કોઈ અન્ય પરિબળ હોવું જોઈએ. સ્વામી દયાનન્દની માન્યતા છે કે જીવ પોતે પોતે કરેલાં પાપ કર્મોનાં ફળ ભોગવવા ઇચ્છતો નથી. જેમ ચોર વગેરે ચોરીનું ફળ દંડ પોતાની ઇચ્છાથી નથી ભોગવતો પરંતુ રાજ્ય વ્યવસ્થાથી ભોગવે છે; એટલે જીવ પણ પોતે કરેલાં કર્મોનાં ફળ પોતે ભોગવે; એમ માનવું પણ ઉચિત નથી. જે લોકો કર્મના ફળની પ્રાપ્તિ સ્વભાવથી માને છે, તેમના માટે અને જે લોકો સંયોગથી કર્મના ફળની પ્રાપ્તિ માને છે; તેમના માટે સ્વામી દયાનન્દનું કથન આ રીતે છે - સ્વભાવથી કર્મફળ : “જો સ્વભાવથી (કર્મનું ફળ મળવાનું હોય તો) તે (કર્મ-ફળ)નું છુટવું કે મળવું (=પ્રાપ્ત થવું) થઈ શકતું નથી. (પરતુ) હા, જેમ શુદ્ધ વસ્ત્રમાં નિમિત્તથી મેલ ચોટે છે; અને તેને છોડાવવાના નિમિત્તથી છૂટી પણ જાય છે; (તેમ શુદ્ધ જીવમાં કોઈ નિમિત્તથી મેલ ચોટે છે અને કોઈ નિમિત્તથી છૂટી પણ જાય છે) એમ માનવું ઠીક છે.” (સ. પ્ર. પૃ. ૬૮૨) સંયોગથી કર્મફળ : (પ્રશ્ન) સંયોગ વિના કર્મ પરિણામને પ્રાપ્ત થતું નથી. જેમ દૂધ અને ખટાશના સંયોગ વગર દહીં થતું નથી. એ જ પ્રકારે જીવ અને કર્મના યોગથી કર્મનું પરિણામ (ત્રફળ) થાય છે. (જવાબ) જેમ દહીં અને ખટાશને મેળવનાર ત્રીજો હોય છે, તેમ જીવોને કર્મોના ફળ સાથે મેળવનારો ત્રીજો ઈશ્વર હોવો જ જોઈએ. કેમકે જડ પદાર્થ સ્વયં નિયમથી સંયુક્ત થઈ જતા નથી અને જીવ પણ અલ્પજ્ઞ હોવાથી સ્વયં પોતાના કર્મફળને પ્રાપ્ત થઈ શક્તો નથી. એથી સિદ્ધ થયું કે ઈશ્વર સ્થાપિત સૃષ્ટિક્રમ વિના કર્મફળ વ્યવસ્થા રહી શકતી નથી. આથી સ્વામી દયાનન્દ સરસ્વતીની માન્યતા છે કે જીવને, પોતે કરેલાં શુભાશુભ કે પુણ્ય પાપરૂપ કર્મોનું ફળ આપનાર ઈશ્વર છે. તેઓ જણાવે છે કે – જો ઈશ્વર ફલપ્રદાતા ન હોય, તો પાપનાં ફળ દુઃખને જીવ પોતાની ઇચ્છાથી કદી પણ ભોગવશે નહીં, જેમ ચોર વગેરે ચોરીનું ફળ દંડ પોતાની ઇચ્છાથી નથી ભોગવતાં, કિન્તુ રાજ્યવ્યવસ્થાથી ભોગવે છે; તેમ પરમેશ્વરના ભોગવવાથી જીવ પાપ અને પુણ્યનાં ફળ ભોગવે છે.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184