Book Title: Sajjan Stuti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 14
________________ લાભમાં દુર્જનો ઉપકારક બને છે. ૩૨-દા ત્રીજા શ્લોકમાં જણાવ્યું હતું કે સજજનોની વાણી અમૃત કરતાં પણ મધુર છે, તેનું કારણ જણાવાય છે या कलविवसते नै सक्षया, या कदाऽपि न भुजङ्गसङ्गता। गोत्रभित्सदसि या न सा सतां, वाचि काचिदतिरिच्यते सुधा ॥३२-७॥ સજજનોની વાણીમાં કોઈક અતિરિક્ત જ સુધા (અમૃત) છે. કારણ કે તે ચંદ્રમામાં રહેતી ન હોવાથી ક્ષયવાળી નથી, ક્યારે પણ સપની સત કરતી નથી અને તે ઈન્દ્રની સભામાં નથી.”-આ પ્રમાણે સાતમા શ્લોકનો સામાન્યાર્થ છે. એની પાછળનો આશય એ છે કે સામાન્ય રીતે લોકમાં પ્રસિદ્ધ છે કે અમૃત ચંદ્રમામાં વૃત્તિ છે અને તેથી ચંદ્રમાની જેમ જ વદ ૧ થી તેનો ક્ષય થાય છે. અમૃતની આસપાસ સર્પ(ભુજંગો) ફરતા હોય છે. તેમ જ અમૃત ઈન્દ્રની સભામાં(દેવલોકમાં) હોય છે. પરંતુ સજ્જનની વાણીમાં જે અમૃત છે તે સુપ્રસિદ્ધ અમૃતથી અતિરિક્ત છે, જે ઉપર જણાવ્યા મુજબ સ્પષ્ટ રીતે સમજી શકાય છે. પરંતુ તકલીફ એક જ છે કે આવા અમૃતની રુચિ જાગવી જોઈએ તેવી જાગતી નથી. સજજનોની વાણી સાંભળવાની ઈચ્છા થાય, પછી

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46