________________
જેમાં બીજો દર્શનોના અજ્ઞાનસ્વરૂ૫ અંધકારનો વિનાશ કરવા માટે સૂર્યનાં કિરણોની ધારા જેવી સ્યાદ્વાદવિદ્યા છે, જેનાથી ભવસાગરનો વિસ્તાર પામીને જીવો મોક્ષપદને પ્રાપ્ત કરે છે તેમ જ જેનાથી અમને શમરસથી સદાને માટે આકંઠ તૃમિ થાય છે, તે આ પરમાનંદસ્વરૂપ કંદના વિકાસ માટે મેઘજેવું શ્રી જિનેશ્વરદેવોનું શાસન જયવંતું વર્તે છે.”-આ પ્રમાણે બત્રીસમા શ્લોકનો અર્થ છે, જેનો આશય અત્યંત સ્પષ્ટ છે. એને અનુરૂપ અજ્ઞાનને દૂર કરી સંસારસાગરનો પાર પામવા દ્વારા પરમાનંદપદને પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બની રહીએ એ જ એક શુભાભિલાષા સાથે આ પરિશીલન પૂર્ણ કરાય છે. સજજનોના ગુણોનું વર્ણન જેમાં છે એવી આ છેલ્લી બત્રીસી છે. ગ્રંથના અવિચ્છેદના કારણભૂત મંગળ સ્વરૂપ આ બત્રીશી સ્પષ્ટ છે. તેથી આ બત્રીશીની ટીકા ગ્રંથકાશ્રીએ કરી નથી. ૩૨-૩રા
॥ इति श्रीद्वात्रिंशद्वात्रिंशिकायां सजनस्तुतिद्वात्रिंशिका ॥
अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥