Book Title: Sajjan Stuti Battrishi Ek Parishilan
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan

View full book text
Previous | Next

Page 37
________________ अत्र पद्यमपि पाङ्क्तिकं क्वचिद्, वर्त्तते च परिवर्त्तितं क्वचित् । स्वान्ययोः स्मरणमात्रमुद्दिशंस्तत्र नैष तु जनोऽपराध्यति ॥३२-३०॥ “આ ગ્રંથમાં જોકે કેટલાક લોકો પૂર્વકાળના મહાત્માઓની પંક્તિને અક્ષરશઃ અનુસરનારા છે અને કેટલાક શ્લોકોમાં થોડો ફેરફાર કર્યો છે. પરંતુ એ વખતે મારો (ગ્રંથકૃદ્નો) ઉદ્દેશ એ હતો કે તે તે સ્થળોનું પોતાને અને બીજાને સ્મરણ કરાવવું. તેથી તેમ કરતાં આ માણસ (ગ્રંથકારશ્રી) કોઈ અપરાધ કરતો નથી.'' આ પ્રમાણે ત્રીસમા શ્લોકનો અર્થ સ્પષ્ટ છે. એનો આશય સમજી શકાય છે કે ઉપર જણાવ્યા મુજબ આ ગ્રંથમાં અક્ષરશઃ કે થોડા ફેરફાર સાથે જે જે શ્લોકોનું અવતરણ કરાયું છે, તે તે શ્લોકોથી તે તે ગ્રંથનું સ્વપરને અનુસ્મરણ થાય-એ સ્પષ્ટ છે અને તેથી એ ઉદ્દેશથી કરાયેલા અવતરણમાં કોઈ જ દોષ નથી. ।।૩૨-૩૦ના * આવા ગ્રંથનું અધ્યયન કે અધ્યાપન કઈ રીતે થશે, તે જણાવાય છે ख्यातिमेष्यति परामयं पुनः, सज्जनैरनुगृहीत एव च । किं न शङ्करशिरोनिवासतो, निम्नगा सुविदिता सुरापगा ॥ ३२ -३१॥ ‘‘સજ્જનો દ્વારા અનુગ્રહને પાત્ર બનેલો જ આ ગ્રંથ ૩૨ **** ******

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46