________________
यद्यनुग्रहपरं सतां मनो, दुर्जनात् किमपि नो भयं तदा । सिंह एव तरसा वशीकृते, किं भयं भुवि शृगालबालकात् ॥३२-१०॥ “જો મારા ઉપર અનુગ્રહ કરવામાં તત્પર એવું સજ્જનોનું મન હોય તો દુર્જનથી મને કોઈ જ ભય નથી. કારણ કે ઝડપથી સિંહને જ વશ કરી લીધેલ હોય તો શું જગતમાં શિયાળના બચ્ચાથી ભય હોય ખરો ? અર્થાત્ ન હોય.''-આ પ્રમાણે દશમા શ્લોકનો અર્થ છે. એનો આશય સ્પષ્ટ જ છે કે દુર્જનો શિયાળના બચ્ચા જેવા છે અને સજ્જનો સિંહજેવા છે. તેમના સંગથી દુર્જનોનો ભય રાખવાનું કોઈ જ કારણ નથી. ।।૩૨-૧૦ના
*
સજ્જન અને દુર્જનના કાર્યભેદને જ જણાવાય છે
,
खेदमेव तनुते जडात्मनां सज्जनस्य तु मुदं कवेः कृतिः । स्मेरता कुवलयेऽब्जपीडनं (म्बुजे व्यथा), चन्द्रभासि भवतीति हि स्थिति:
૫૩૨-૫
“જડબુદ્ધિવાળા દુર્જનોને કવિની કૃતિ (ગ્રંથ-રચના) ખેદને જ ઉપજાવે છે. પરંતુ સજ્જનોને તો તે આનંદને ઉપજાવે છે. ચંદ્રની કાંતિ ખીલેલી હોય ત્યારે ચંદ્રવિકાસી મળ(કુવલય) વિકાસ પામે છે. પરંતુ સૂર્યવિકાસી કમળને વ્યથા-પીડા થાય છે. તેથી અહીં આવી સ્થિતિ છે.’-આ
૧૩
********