________________
यैरुपेत्य विदुषां सतीर्थ्यतां, स्फीतजीतविजयाभिधावताम् । धर्मकर्म विदधे जयन्ति ते, श्रीनयादिविजयाभिधा बुधाः ॥३२-२१॥
“શ્રીમાન શ્રી દેવસૂરિજી મહારાજ તથા અનેક પૂ. આચાર્ય ભગવંતોને વિશે તિલકસમાન અને ઐશ્વર્યથી પૂર્ણ એવા પૂ.આ.ભ.શ્રી.વિ. સિંહસૂરિજી મહારાજથી અલંકૃત એવા ઘણા ગુણવાળા તપાગચ્છમાં જેમનું નામ સૂર્ય કરતાં પણ અધિક તેજસ્વી(પ્રભાવવતું) છે, રોગને દૂર કરનારું છે, રમણીય છે અને સર્વત્ર પ્રસિદ્ધ છે તેમ જ જેમનું એ નામ પોતાની ઈષ્ટ વસ્તુને પ્રાપ્ત કરવા માટે કામકુંભ કરતાં પણ અધિક શ્રેષ્ઠતાને પ્રાપ્ત કરે છે એવા, તેમ જ જેઓએ તેજસ્વી એવા જીતવિજયજી નામવાળા વિદ્વાન ઉપાધ્યાયજી મ.નું ગુરુબંધુત્વ પ્રાપ્ત કરીને ધર્મની સાધના કરી તે શ્રીનયવિજયજી ઉપાધ્યાયજી મહારાજ જયવંતા વર્તે છે.”આ પ્રમાણે ઓગણીસ, વીસ અને એકવીસમા શ્લોકનો અર્થ છે. ૩૨-૧૯,૨૦,૨૨ા.
* * * પૂ. ગુરુદેવશ્રી નયવિજયજી ઉપાધ્યાયજીમહારાજે કરેલા ઉપકારનું સ્મરણ કરાય છેउद्यतैरहमपि प्रसद्य तैस्तर्कतन्त्रमधिकाशि पाठितः। एष तेषु धुरि लेख्यतां ययौ, सद्गुणस्तु जगतां सतामपि ॥३२-२२॥