Book Title: Punchaastikaai Sangrah
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પદ્રવ્ય-પંચાસ્તિકાયવર્ણન
धर्माधर्माकाशान्यपृथग्भूतानि समानपरिमाणानि । पृथगुपलब्धिविशेषाणि कुवैत्येकत्वमन्यत्वम्।। ९६ ।।
धर्माधर्मलोकाकाशानामवगाहवशादेकत्वेऽपि वस्तुत्वेनान्यत्वमत्रोक्तम्।
[ ૧૪૧
धर्माधर्मलोकाकाशानि
हि
समानपरिमाणत्वात्सहावस्थानमात्रेणैवैकत्वभाञ्जि।
वस्तुतस्तु व्यवहारेण गतिस्थित्यवगाहहेतुत्वरूपेण निश्चयेन विभक्तप्रदेशत्वरूपेण विशेषेण पृथगुप-लभ्यमानेनान्यत्वभाञ्ज्येव भवंतीति ।। ९६ ।।
-इति आकाशद्रव्यास्तिकायव्याख्यानं समाप्तम् ।
અન્વયાર્થ:- [ ધર્માધર્માજાશાનિ] ધર્મ, અધર્મ અને આકાશ ( લોકાકાશ ) [સમાનપરિમાળાનિ] સમાન પરિમાણવાળાં [અપૃથભૂતાનિ] અપૃથભૂત હોવાથી તેમ જ [ પૃથાપતિિવશેષાīિ] પૃથક-ઉપલબ્ધ (ભિન્નભિન્ન ) વિશેષવાળાં હોવાથી [yત્વમ્ અન્યત્વમ્ ] એકત્વ તેમ જ અન્યત્વને [જીવંતિ] કરે છે.
ટીકા:- અહીં, ધર્મ અધર્મ અને લોકાકાશનું અવગાહની અપેક્ષાએ એકત્વ હોવા છતાં વસ્તુપણે અન્યત્વ કહેવામાં આવ્યું છે.
ધર્મ, અધર્મ અને લોકાકાશ સમાન પરિમાણવાળાં હોવાને લીધે સાથે રહેલાં હોવામાત્રથી જ (−માત્ર એકક્ષેત્રાવગાહની અપેક્ષાએ જ) એકત્વવાળાં છે; વસ્તુતઃ તો (૧) વ્યવહારે ગતિòતુત્વ, સ્થિતિતુત્વ અને અવગાહેતુત્વરૂપ (પૃથક-ઉપલબ્ધ વિશેષ વડે) તથા (૨) નિશ્ચયે 'વિભકતપ્રદેશત્વરૂપ પૃથક્–ઉપલબ્ધ વિશેષ વડે, તેઓ અન્યત્વવાળાં જ છે.
ભાવાર્થ:- ધર્મ, અધર્મ અને લોકાકાશનું એકત્વ તો કેવળ એકક્ષેત્રાવગાહની અપેક્ષાએ જ કહી શકાય છે; વસ્તુપણે તો તેમને અન્યત્વ જ છે, કારણ કે (૧) તેમનાં લક્ષણો ગતિòતુત્વ, સ્થિતિહેતુત્વ અને અવગાહહેતુત્વરૂપ ભિન્નભિન્ન છે તથા (૨) તેમના પ્રદેશો પણ ભિન્નભિન્ન છે. ૯૬.
આ રીતે આકાશદ્રવ્યાસ્તિકાયનું વ્યાખ્યાન સમાપ્ત થયું.
૧. વિભક્ત=ભિન્ન. [ ધર્મ, અધર્મ અને આકાશને ભિન્નપ્રદેશપણું છે. ]
૨. વિશેષ=ખાસિયત; વિશિષ્ટતા; વિશેષતા. [ વ્યવહારે તથા નિશ્ચયે ધર્મ, અધર્મ અને આકાશના વિશેષ પૃથક્ ઉપલબ્ધ છે અર્થાત્ ભિન્નભિન્ન જોવામાં આવે છે. ]
Please inform us of any errors on rajesh@AtmaDharma.com