Book Title: Punchaastikaai Sangrah
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
| [ ૧૭૩
अन्यासाधारणजीवकार्यख्यापनमेतत्।
चैतन्यस्वभावत्वात्कर्तृस्थायाः क्रियायाः ज्ञप्तेशेश्च जीव एव कर्ता, न तत्संबन्धः पुद्गलो, यथाकाशादि। सुखाभिलाषक्रियायाः दु:खोद्वेगक्रियायाः स्वसंवेदितहिताहितनिर्विर्तनक्रियायाश्च चैतन्यविवर्तरूपसङ्कल्पप्रभवत्वात्स एव कर्ता, नान्यः। शुभाशुभाकर्मफलभूताया
इष्टानिष्ट-विषयोपभोगक्रियायाश्च सुखदुःखस्वरूपस्वपरिणामक्रियाया इव स एव कर्ता, नान्यः। एतेनासाधारणकार्यानुमेयत्वं पुद्गलव्यतिरिक्तस्यात्मनो द्योतितमिति।। १२२ ।।
નં
હિતમ્ રોતિ] હિત-અહિતને (શુભ-અશુભ ભાવોને) કરે છે [T] અને [તયો: મુંજી] તેમના ફળને ભોગવે છે.
ટીકાઃ- આ, અન્યથી અસાધારણ એવા જીવકાર્યોનું કથન છે (અર્થાત્ અન્ય દ્રવ્યોથી અસાધારણ એવા જે જીવના કાર્યો તે અહીં દર્શાવ્યાં છે ).
ચૈતન્યસ્વભાવપણાને લીધે, કનૃસ્થિત (કર્તામાં રહેલી) ક્રિયાનો-જ્ઞપ્તિ તથા દશિનો-જીવ જ કર્તા છે; તેના સંબંધમાં રહેલું પુદ્ગલ તેનું કર્તા નથી, જેમ આકાશાદિ નથી તેમ. (ચૈતન્યસ્વભાવને લીધે જાણવાની અને દેખવાની ક્રિયાનો જીવ જ કર્તા છે; જ્યાં જીવ છે ત્યાં ચાર અરૂપી અચેતન દ્રવ્યો પણ છે તોપણ તેઓ જેમ જાણવાની અને દેખવાની ક્રિયાના કર્તા નથી તેમ જીવની સાથે સંબંધમાં રહેલાં કર્મ-નોકર્મરૂપ પુદ્ગલો પણ તે ક્રિયાનાં કર્તા નથી.) ચૈતન્યના વિવર્તરૂપ (-પલટારૂપ) સંકલ્પની ઉત્પત્તિ (જીવમાં) થતી હોવાને લીધે, સુખની અભિલાષારૂપ ક્રિયાનો, દુઃખના ઉગરૂપ ક્રિયાનો તથા સ્વસંવેદિત હિત-અહિતની નિષ્પત્તિરૂપ ક્રિયાનો (પોતાથી ચેતવામાં આવતા શુભ-અશુભ ભાવોને રચવારૂપ ક્રિયાનો) જીવ જ કર્તા છે; અન્ય નહિ. શુભાશુભ કર્મના ફળભૂત *ઇષ્ટાનિખવિષયોપભોગક્રિયાનો, સુખ-દુ:ખસ્વરૂપ સ્વપરિણામક્રિયાની માફક, જીવ જ કર્તા છે; અન્ય નહિ.
આથી એમ સમજાવ્યું કે (ઉપરોક્ત) અસાધારણ કાર્યો દ્વારા પુદ્ગલથી ભિન્ન એવો આત્મા અનુમય (-અનુમાન કરી શકાવાયોગ્ય ) છે.
ભાવાર્થ:- શરીર, ઇંદ્રિય, મન, કર્મ વગેરે પુદ્ગલો કે અન્ય કોઈ અચેતન દ્રવ્યો કદાપિ જાણતાં નથી, દેખતાં નથી, સુખને ઇચ્છતાં નથી, દુઃખથી ડરતા નથી,
* ઇનિષ્ટ વિષયો જેમાં નિમિત્તભૂત હોય છે એવા સુખદુઃખ પરિણામોના ઉપભોગરૂપ ક્રિયાને જીવ
કરતો હોવાથી તેને ઇષ્ટાનિષ્ટ વિષયોના ઉપભોગરૂપ ક્રિયાનો કર્તા કહેવામાં આવે છે.
Please inform us of any errors on [email protected]