Book Title: Punchaastikaai Sangrah
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
| [ ૧૮૩
मोहो रागो दोसो चित्तपसादो य जस्स भावम्मि। विज्जदि तस्स सुहो वा असुहो वा होदि परिणामो।। १३१ ।।
मोहो रागो द्वेषश्चित्तप्रसादः वा यस्य भावे। विद्यते तस्य शुभो वा अशुभो वा भवति परिणामः।। १३१ ।।
पुण्यपापयोग्यभावस्वभावाख्यापनमेतत्।
इह हि दर्शनमोहनीयविपाककलुषपरिणामता मोहः। विचित्रचारित्रमोहनीयविपाकप्रत्यये प्रीत्यप्रीती रागद्वेषौ। तस्यैव मंदोदये विशुद्धपरिणामता चित्तप्रसादपरिणामः। एवमिमे यस्य भावे भवन्ति , तस्यावश्यं भवति शुभोऽशुभो वा परिणामः। तत्र यत्र प्रशस्तरागश्चित्तप्रसादश्च तत्र शुभः परिणामः, यत्र तु मोहद्वेषावप्रशस्तरागश्च તત્રાશુમ તિલા રૂ8ા
છે રાગ, દ્વેષ, વિમોહ, ચિત્તપ્રસાદપરિણતિ જેહને, તે જીવને શુભ વા અશુભ પરિણામનો સદ્ભાવ છે. ૧૩૧.
અવયાર્થઃ- [વસ્થ ભાવે] જેના ભાવમાં [ મોદ:] મોહ, [ 1: ] રાગ, [s:] પ [ વા] અથવા [ વિત્તપ્રસા: ] ચિત્તપ્રસન્નતા [ વિદ્યતે] છે, [ 10 ] તેને [શુમ: વા પશુમા વા] શુભ અથવા અશુભ [પરિણામ:] પરિણામ [ ભવતિ ] છે.
ટીકાઃ- આ, પુણ્ય-પાપને યોગ્ય ભાવના સ્વભાવનું -સ્વરૂપનું) કથન છે.
અહીં, દર્શનમોહનીયના વિપાકથી જે કલુષિત પરિણામ તે મોહ છે; વિચિત્ર (અનેક પ્રકારના) ચારિત્રમોહનીયનો વિપાક જેનો આશ્રય (-નિમિત્ત) છે એવી પ્રીતિ-અપ્રીતિ તે રાગ-દ્વેષ છે; તેના જ (ચારિત્રમોહનીયના જ) મંદ ઉદયે થતા જે વિશુદ્ધ પરિણામ તે *ચિત્તપ્રસાદપરિણામ (–મનની પ્રસન્નતા રૂપ પરિણામ) છે. એ રીતે આ (મોહ, રાગ, દ્વેષ અથવા ચિત્તપ્રસાદ) જેના ભાવમાં છે, તેને અવશ્ય શુભ અથવા અશુભ પરિણામ છે. તેમાં,
જ્યાં પ્રશસ્ત રાગ તથા ચિત્તપ્રસાદ છે ત્યાં શુભ પરિણામ છે અને જ્યાં મોહ, દ્વેષ તથા અપ્રશસ્ત રાગ છે ત્યાં અશુભ પરિણામ છે. ૧૩૧.
* પ્રસાદ = પ્રસન્નતા; વિશુદ્ધતા; ઉજ્વળતા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com