Book Title: Punchaastikaai Sangrah
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૬ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાનશ્રીકુંદકુંદपुद्गलानां ग्रहणहेतुत्वाबहिरङ्गकारणं योगः, विशिष्टशक्तिस्थितिहेतुत्वादन्तरङ्गकारणं जीवभाव एवेति।।१४८।।
हेदू चदुव्वियप्पो अट्ठवियप्पस्स कारणं भणिदं। तेसि पि य रागादी तेसिमभावे ण बझंति।।१४९ ।।
हेतुश्चतुर्विकल्पोऽष्टविकल्पस्य कारणं भणितम्। तेषामपि च रागादयस्तेषामभावे न बध्यन्ते।। १४९ ।।
તેથી અહીં (બંધને વિષે), બહિરંગ કારણ (-નિમિત્ત) યોગ છે કારણ કે તે પુગલોના ગ્રહણનો હેતુ છે, અને અંતરંગ કારણ (-નિમિત્ત) જીવભાવ જ છે કારણ કે તે (કર્મયુગલોની) વિશિષ્ટ શક્તિ અને સ્થિતિનો હેતુ છે.
ભાવાર્થ- કર્મબંધાર્યાયના ચાર વિશેષો છે. પ્રકૃતિબંધ, પ્રદેશબંધ, સ્થિતિબંધ અને અનુભાગબંધ. આમાં સ્થિતિ-અનુભાગ જ અત્યંત મુખ્ય વિશેષો છે, પ્રકૃતિ-પ્રદેશ તો અત્યંત ગૌણ વિશેષો છે; કારણ કે સ્થિતિ-અનુભાગ વિના કર્મબંધ પર્યાય નામમાત્ર જ રહે. તેથી અહીં પ્રકૃતિ-પ્રદેશબંધને માત્ર “ગ્રહણ” શબ્દથી કહેલ છે અને સ્થિતિ-અનુભાગબંધને જ “બંધ” શબ્દથી કહેલ છે.
જીવના કોઈ પણ પરિણામમાં વર્તતો યોગ કર્મનાં પ્રકૃતિ-પ્રદેશનું અર્થાત્ “ગ્રહણ ”નું નિમિત્ત થાય છે અને જીવના તે જ પરિણામમાં વર્તતો મોહરાગદ્વેષભાવ કર્મનો સ્થિતિઅનુભાગનું અર્થાત્ “બંધ ”નું નિમિત્ત થાય છે, માટે મોહરાગદ્વેષભાવને “બંધ'નું અંતરંગ કારણ (અંતરંગ નિમિત્ત) કહ્યું છે અને યોગને -કે જે ગ્રહણ નું નિમિત્ત છે તેને બંધ 'નું બહિરંગ કારણ (બાહ્ય નિમિત્ત) કહ્યું છે. ૧૪૮.
હેતુ ચતુર્વિધ અષ્ટવિધ કર્મો તણાં કારણ કહ્યા, તેનાંય છે રાગાદિ, જ્યાં રાગાદિ નહિ ત્યાં બંધ ના. ૧૪૯.
અવયાર્થઃ- [ચતુર્વિવત્પ: દેતુ: ] (દ્રવ્યમિથ્યાત્વાદિ) ચાર પ્રકારના હેતુઓ [ કવિત્વશ્ય વારમ્ ] આઠ પ્રકારનાં કર્મોનાં કારણ [ મળતન્] કહેવામાં આવ્યા છે; [ તેષામ uિ ] તેમને પણ [રાય: ] ( જીવના) રાગાદિભાવો કારણ છે; [ તેષામ્ સમાવે] રાગાદિભાવોના અભાવમાં [વધ્યન્ત] જીવો બંધાતા નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com