Book Title: Punchaastikaai Sangrah
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust
View full book text
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
નવપદાર્થપૂર્વક મોક્ષમાર્ગપ્રપંચવર્ણન
| [ ૧૭૯
गुणत्वात् रूपिभ्योऽरूपिभ्यश्चाजीवेभ्यो विशिष्टं जीवद्रव्यम्। एवमिह जीवाजीवयोर्वास्तवो भेद: सम्यग्ज्ञानिनां मार्गप्रसिद्ध्यर्थं प्रतिपादित इति।।१२६-१२७।।
-इति अजीवपदार्थव्याख्यानं समाप्तम्। उक्तौ मूलपदार्थो। अथ संयोगपरिणामनिवृत्तेतरसप्तपदार्थानामुपोद्धातार्थं जीवपुद्गलकर्मचक्रमनुवर्ण्यते
जो खलु संसारत्थो जीवो तत्तो दु होदि परिणामो। परिणामादो कम्मं कम्मादो होदि गदिसु गदी।। १२८ ।।
નથી, તે, ચેતનાગુણમયપણાને લીધે રૂપી તેમ જ અરૂપી અજીવોથી *વિશિષ્ટ ( ભિન્ન) એવું જીવદ્રવ્ય છે.
આ રીતે અહીં જીવ અને અજીવનો વાસ્તવિક ભેદ સમ્યજ્ઞાનીઓના માર્ગની પ્રસિદ્ધિ અર્થે પ્રતિપાદિત કરવામાં આવ્યો.
[ ભાવાર્થ- અનાદિ મિથ્યાવાસનાને લીધે જીવોને પોતે કોણ છે તેનું વાસ્તવિક જ્ઞાન નથી અને પોતાને શરીરાદિરૂપ માને છે. તેમને જીવદ્રવ્ય અને અજીવ દ્રવ્યનો વાસ્તવિક ભેદ દર્શાવી મુક્તિનો માર્ગ પ્રાપ્ત કરાવવા અર્થે અહીં જડ પુદ્ગલદ્રવ્યનાં અને ચેતન જીવદ્રવ્યનાં વીતરાગસર્વજ્ઞકથિત લક્ષણો કહેવામાં આવ્યાં. જે જીવ તે લક્ષણો જાણી, પોતાને એક સ્વત:સિદ્ધ સ્વતંત્ર દ્રવ્ય તરીકે ઓળખી, ભેદવિજ્ઞાની અનુભવી થાય છે, તે નિજાભદ્રવ્યમાં લીન થઈ મોક્ષમાર્ગને સાધી શાશ્વત નિરાકુળ સુખનો ભોક્તા થાય છે.] ૧૨૬-૧૨૭.
આ રીતે અજીવપદાર્થનું વ્યાખ્યાન સમાપ્ત થયું.
બે મૂળપદાર્થો કહેવામાં આવ્યા. હવે (તેમના) સંયોગપરિણામથી નિષ્પન્ન થતા અન્ય સાત પદાર્થોના ઉપોદઘાત અર્થે જીવકર્મ અને પુદ્ગલકર્મનું ચક્ર વર્ણવવામાં આવે છે.
સંસારગત જે જીવ છે પરિણામ તેને થાય છે, પરિણામથી કર્મો, કરમથી ગમન ગતિમાં થાય છે; ૧૨૮.
* વિશિષ્ટ = ભિન્ન, વિલક્ષણ; ખાસ પ્રકારનું.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com