Book Title: Prastavana Trayi
Author(s): Shobhanmuni, Ajitsagarsuri
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 19
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના આચાર્યું તેના ઘરમાં દટાયેલ ધન બતાવ્યું. સૂરિજીએ બતાવેલા સ્થળમાં સર્વદેવને મેટી ધનરાશિની પ્રાપ્તિ થઈ. ધનના આનંદથી તે ગાંડે ઘેલો થઈ ગયે. ધન અગ્યારમે પ્રાણ છે. બાળકથી વૃદ્ધ, મૂખથી પંડિત, બધાય જેની રાતદિવસ ઝંખના કરે છે. તેનાથી કેમ આનંદ ન થાય? સર્વદેવ પંડિત હેવા સાથે પૂરેપૂરે કૃતજ્ઞ હતો. સૂરિજીના ઉપગારનો બદલો આપવા તે ચાહતો હતો. તેણે મળી આવેલ ધનને અર્ધો ભાગ લેવા સૂરિજીને પ્રાર્થના કરી, પણ તેઓ તે. પંચમહાવ્રતધારી જૈનાચાર્ય હતા. પરિગ્રહથી તદ્દન દૂર રહેનાર નિન્ય ધનને શું કરે? એક કેડી પણ સૂરિજીએ લીધી નહિ. અંતે સર્વદેવની પ્રાર્થનાથી સૂરિજીએ એક રસ્તો બતાવ્ય – ઉપકારને બદલે આપવો જ હોય તો તારા બે પુત્રોમાંથી એક પુત્ર મને આપ, જેથી જગમાં તારું પણ નામ થાય.” આ ઉત્તર સાંભળી સર્વદેવ પુત્રપ્રેમને લીધે સંકેચાય પણ ઉપકારનો બદલો આપવાનો વિચાર તેને બેચેન બનાવતો હતો. પ્રભાવચરિત્રકાર લખે છે કે –તેવા વિચારમાં તેનું આખું વર્ષ વીતી ગયું, અંતે તીર્થમાં જઈ મહેન્દ્રસૂરિના ઉપકારને બદલો નહિ આપવા સંબંધી પોતાના પાપને જોવાનો વિચાર કરી સર્વદેવ પ્રસ્થાન કરે છે. પ્રસ્થાન સમયે ધન પાળે કારણ પૂછતાં ઉત્તરમાં સર્વદેવે જણાવ્યું કે –“મારૂ ઋણ ચુકાવવા બેમાંથી એક પુત્રની જેનાચાર્ય માગણી કરે છે. આ ત્રણ ચુકાવ્યા વગર હું મરી જઉં તો મારી સગતિ થાય નહિ.” પિતાની વાત સાંભળી ધનપાળ ચમક્યો અને ક્રોધથી સર્વદેવને કહેવા લાગ્યો કે –તમે પિતાના પુત્રને ઉપકારનો બદલો. જેન દીક્ષા અપાવી આપણા કુળને કલંકિત કરવા માંગો છો? આપણા કુળમાં શુદ્ધ યજ્ઞયાગાદિ વેદપાઠ કરનાર બ્રાહ્મણે થયા છે. બ્રાહ્મણે અને શ્રમ માં હંમેશાંથી વિરોધ ચાલતે આવે છે. આવી અવસ્થામાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102