Book Title: Prastavana Trayi
Author(s): Shobhanmuni, Ajitsagarsuri
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 41
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir E @ ; KUS UK UR UR UK UR UT UT BE : આચાર્ય શ્રી અજિતસાગરસૂરીશ્વરજીના જીવનની સંક્ષિપ્ત રૂપરેખા. ચરોતરમાં પેટલાદ પાસે આવેલું નાર ગામ જેમાં ૧ણીતું છે કારણ કે આ ગામ લેઉવા પાટીદાર જેનોએ બે ડઝનથી પણ વધારે પિતાના સંતાનોને ચારિત્ર્ય લેવા સમર્યા છે. આ નાર ગામમાં સં. ૧૯૪૨ ના પોષ સુદિ પંચમીના રોજ લેઉઆ પાટીદાર પટેલ લલ્લુભાઈને ત્યાં આચાર્ય શ્રી અજિતસાગરસૂરિજીનો જન્મ થયો હતો. તેમનું જન્મ નામ “અંબાલાલ રાખવામાં આવ્યું હતું. તેમના પિતા લલ્લુભાઈ પટેલ અને માતા સોનબાઈ બંને ભોળા દિલનાં, ધર્મનિટ, પ્રભુભક્ત, ઉદારચિત્ત, સાધુ પ્રેમી તથા માયાળુ હતાં. એ વડીલનો વારસો આલ્યાવસ્થાથી જ અંબાલાલમાં પણ આબાદ રીતે ઉતરી આવ્યો હતો. ઉપરાંત ભવિષ્યમાં થનારા ભાગ્યોદય અને પ્રભાવિકતાનાં કેટલાંક સૂચનો પણ આ અંબાલાલના શરીર પરનાં સામુદ્રિક લક્ષણો તથા પ્રકૃતિ પરથી થતાં હતાં. તે વખતે પણ તેમનામાં કુદરતી વચન–ચાતુર્ય અને વિશાળ બુદ્ધિ હતી. તેના ફળ તરીકે તેઓ સુગમતાથી ગુજરાતી સાત ચોપડીઓને અભ્યાસ કરી ગયા. તેઓ પોતાનામાં રહેલી વાશક્તિ અને બુદ્ધિનો ઉપયોગ કરવા માર્ગ શોધતા હતા તેવામાં તેમના માત-પિતા સ્વર્ગવાસ પામ્યાં અને તેથી તેમને સંસારની અસારતા અને અસ્થિરતા સમજાઈ ગઈ. સં. ૧૯૫૬ માં સ્થાનકવાસી સાધુઓના પ્રસંગમાં આવતાં તેમણે પોતાનો વૈરાગ્ય આ રસ્તે વાળ્યો-સ્થાનકવાસી દીક્ષા અંગીકાર કરી. આ પછી સ્થાનકવાસી સાધુ અમીપિ તરીકે તેમણે મહારાષ્ટ્ર, ખાનદેશ, કર્ણાટક, માલવા, મધ્ય હિંદ વગેરે દેશમાં વિહાર કર્યો, ભિન્ન ભિન્ન ધર્મોના ગ્રંથનો તથા ભાષાઓનો અભ્યાસ કર્યો અને અનેક સાધુ–સંત તથા મહામાઓની સાથે જ્ઞાનચર્ચા કરી પૂરતો અનુભવ મેળવ્યો. સ્થાન For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102