________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શનિસ્તુતિ ચતુર્વિશતિકાની ટીકાઓ.
ચંદ્રસૂરિ, કીર્તિરાજે પાધ્યાય, મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી વિગેરેની ઐન્દ્રસ્તુતિ વિગેરે કૃતિઓ પ્રસ્તુત કૃતિના અનુકરણ અથવા પ્રેરણાનું ફલ છે.
શોભનસ્તુતિની અનેરી સુંદરતા અને ગંભીરતા હોવાથી અનેક આચાર્યો અને કવિઓએ શોખ કે પરોપકારાર્થ તેના ઉપર ટીકાઓ બનાવી છે. જેમાંની નવ ટીકા તો આજકાલ જાણીતી છે. એનાથી પ્રસ્તુત કૃતિની મહત્તા ગંભીરતા અને પ્રસિદ્ધિ સહેજે સમજી શકાય તેમ છે. તે ટીકાકારોનાં નામે આ છે:–
ધનપાલ, જયવિજયજી, રાજમુનિ, સૌભાગ્યસાગરસૂરિ, કનકકુશલગણિ, સિદ્ધિચંદ્રગણિ, દેવચંદ્ર, અજબસાગર અને એક બીજા અવચેરિકાર પૂર્વાચાર્ય (આમના નામનો પત્તો મળે નથી).
વીસમી સદીમાં પણ ડેકટર હરમન યાકેબી વિગેરે વિદ્વાનોએ અંગ્રેજી, હિન્દી, ગુજરાતી વિગેરેમાં આનાં ભાષાન્તરે કર્યા છે. છે. હીરાલાલ રસિકદાસ કાપડિયાએ સ્તુતિચતુર્વિશતિકાની અનેક ટીકાઓનો સંગ્રહ કરી તથા વિસ્તારથી ભાષાન્તર કરી દેવચંદ લાલભાઈ પુ. ફંડ. સુરતથી પ્રકાશિત કરેલ છે. જેની હું પ્રસ્તાવના લખી રહ્યો છું તે આ ગ્રંથમાં પણ તમે શેભન મુનિની પ્રસ્તુત સ્તુતિની એક સંસ્કૃત “ સરલા” નામની ટીકા જેશે, કે જે ચાલતી આ વીસમી સદીમાં બનેલી છે. એના કર્તા આચાર્યશ્રી અજિતસાગરસૂરિજી છે. સદ્ગત શ્રીમાન અજિતસાગરસૂરિજી મહારાજ કાવ્ય સાહિત્યના અપૂર્વ રસિક અને પ્રેમી હતા. જો કે તેમની સાથે મારે પ્રત્યક્ષ પરિચય હેતો થયે પણ તેમનો કાવ્યને અભ્યાસ સારે હતો એમ સંભળાય છે. તેઓ આ કૃતિની સુંદરતાથી આકર્ષાયા ને તેના પર કાંઈક લખવું એ ઉત્સાહ જાગતાં આ સ્તુતિ વિષે પિતાને અનુભવ પ્રસ્તુત ટીકામાં
For Private And Personal Use Only