________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શોભનના પિતા.
૨૧ શકે છે. પ્રબંધ ચિંતામણિમાં પૂર્વકાલની દષ્ટિએ વિશાલા (ઉજજૈની)નો અને પ્રભાવક ચરિત્રાદિમાં ઉત્તરકાળની દષ્ટિએ ધારાનો ઉલ્લેખ છે એમ જણાય છે.
શોભનને માટે ઉલ્લેખ કરનારા ગ્રંથે છે તેમાં જૂનામાં જૂના
ગ્રંથે શેભનના સગાભાઈ કવિ ધનપાલની શોભનના પિતા. તિલકમંજરી, શોભનસ્તુતિચતુર્વિશિકા
ટકા, પ્રભાચંદ્રકૃત પ્રભાવક ચરિત્ર અને પ્રબંધ ચિંતામણી જેવા ઐતિહાસિક ગ્રંથો છે. તે બધામાં શેભનના પિતાનું નામ “સર્વદેવ” લખ્યું છે, સર્વદેવ નામ સિવાય બીજા નામવાળા ગ્રંથે ઘણા અર્વાચિન અને ઐતિહાસિક દ્રષ્ટિએ મહત્ત્વના નહિ હોવાથી તેમાં લખેલાં બીજાં નામે વિશ્વસનીય નથી. વળી ઉપદેશ પ્રાસાદમાં શોભનના પિતાનું નામ લક્ષ્મીધર લખ્યું છે તો તે બ્રાન્તિ મૂલક છે.
૧ શરૂઆતમાં પ્રબંધ ચિંતામણિકાર “પુરાતમૃદ્ધિરાત્રિાચાં વિરાચાચા “પુરિ' કહી સવદેવની નિવાસ નગરી ઉજૈન બતાવે છે પણ જ્યારે શોભનમુનિ વિદ્વાન થઈ ફરી માલવામાં પિતાના ભાઈને પ્રતિબંધવા આવ્યા છે ત્યારે તેઓ ધારાનગરીમાં આવ્યા છે એ ઉલ્લેખ કરે છે. જેમ" अभ्यस्तसमस्तविद्य स्थानेन धनपालेन श्रीभोजप्रसादसम्प्राप्तसमस्तपण्डितअष्टप्रतिष्टेन निजसहोदरामर्षभावाद् द्वादशाब्दी यावत् स्वदेशे निषिद्धजैनदर्शनप्रवेशेन तद्देशोपासकैरत्यर्थमभ्यर्थनया गुरुष्वाहूयमानेषु सकलसिद्धान्तपारावारपारदृश्वा स 'शोभननामा' तपोधनो गुरूनापृच्छय तत्र प्रयातो धारायां प्रविशन् पण्डितधनपालेन राजपाटिकायां व्रजता तं सहोदरमित्यनुपलक्ष्य સોજા મત્ત ! મન્ત! નમસ્તે તિ પ્રોત્તે”...પ્રબંધચિંતામણિ ( જિનવિજયજી સંપાદિત) પૃ. ૩૬.
આનાથી મારી કલ્પના મજબૂત થાય છે કે –ોભન વિગેરે પહેલાં ઉજ્જૈનમાં રહેતા હતા અને પાછલથી ધારામાં રહેવા આવ્યા. આમ માનવાથી બને મતોનો સમન્વય પણ થાય છે.
For Private And Personal Use Only