Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
STD 10 S S 1 શ્રી અપ્રકારી પૂજાનો રાસ S S S 3
3 જાય. આ વાતની ઘરના કોઈનેય ખબર નથી. એવામાં શેઠના દીકરાનો દીકરો, હશે આઠ- દશ મહિનાનો. રમતો રમતો ભાંખોડીયા ભરતો છેક શેઠ રકમ ગણતા હતા ત્યાં પહોંચી 3ી ગયો અને રમતમાં ને રમતમાં તે બાળકના હાથે તિજોરીના બારણાને ધક્કો લાગ્યો. ને તિજોરી બંધ થઈ ગઈ. શેઠને ખબર નથી એ તો રકમ ગણવામાં મસ્ત છે અને હવે હવા ન
| મળવાથી શેઠ ગુંગળાયા અને મૃત્યુ પામ્યા. આ છે લોભ કે જે ખૂદનું મરણ કરાવે. હવે કને ખબર કોને પડે. એક દિવસ, બે દિવસ, બાપાની શોધ ચાલે છે પણ બાપા દુનિયામાં હોય તે
તો ભલેને ? આ બાજુ મડદું સડવા લાગ્યું. કીડા પડવા લાગ્યાં. તીજોરીની તીરાડ વાટે . બહાર આવવા લાગ્યાં. ઘરમાં આટલી બધી દુર્ગધ કેમ ? ખબર પડતી નથી, જે તરફથી | દુર્ગધ આવે છે તે તરફ જુવે છે તો તિજોરીમાંથી દુર્ગધ અને કીડા આવે છે. દીકરાએ બહાર આવી, લુહારને બોલાવી, તીજોરી તોડાવી અને જુવે છે તો બાપા સોનૈયા ગણતાં મૃત્યુ પામ્યાં. જુવો લોભનો અંજામ કેવો ખતરનાક છે. અહિં પણ આપણે જોઈ રહ્યા છીએ કે લોભથી સગા દીકરાએ બાપને માર્યો.
લોભને ખાતર એક બીજાના સંબંધ નષ્ટ થઈ જાય છે અને કહેવાતા નિર્લોભી એવા | મુનિવરના પણ મન પાપી એવો લોભ મેલાં કરાવે છે. જ્યારે લોભ ઉદયમાં આવે છે ત્યારે F; મુનિવરો પણ કપટ સેવે છે. આત્મ સ્વરૂપને ભૂલે છે. (૨)
આ જગતમાં લોભ ઘણો જુલમી છે. તે ધર્મ કરતા માનવને વચ્ચે ધૂળ નાંખે છે એટલે કે ધર્મ કરતા અટકાવે છે. એક બીજાના સ્નેહભાવનો નાશ કરે છે. એટલું જ નહિ, લોભ સર્વ વિનાશનું મૂળ છે. (૩)
લોભ જ્યારે આવે છે ત્યારે માનવ ભાન ભૂલે છે. પિતા પોતાના પુત્રને મારે છે. પુત્ર પિતાને હણે છે અને લોભ નડે છે ત્યારે કોણ “મા” અને કોણ ભાઈ ! કોઈ કોઈની પરવા ન કરતું નથી. (૪)
માનવ જ્યારે લોભને આધીન બને છે. ત્યારે કોણ પતિ અને કોણ પત્નિ તે જોવાતું ન નથી. લોભથી શ્રેષ્ઠ મનુષ્ય પણ પાપને (અધર્મ)ને વશ થાય છે. લોભ પાપ કરતાં અચકાતા જ નથી. (૫) તે હવે લોભી એવો સુરપ્રિય પિતાના મૃત્યુ સંબંધી કાર્ય કરે છે અને હજુ ધનનો લોભ હોવાથી એક દિવસ જે સ્થળે ધન રહેલું છે ત્યાં આવે છે. (૬)
અને જેટલાંમાં ત્યાં જઈને જુવે છે તેટલામાં તેણે ગોહોરગે દાંત વડે મનોહર એવી 1 રત્નમાળા ગ્રહણ કરેલી દેખી. (૭)
...