Book Title: Paap Shuddhini Prakriya
Author(s): Gulabchandra Maharaj
Publisher: Laghaswami Jain Pustakalay

View full book text
Previous | Next

Page 38
________________ પાપ શુદ્ધિની પ્રક્રિયા 'દસમા વ્રતના અતિચાર હવે દસમા દેશાવગાસિકવ્રતમાં જે કોઈ અતિચાર લાગ્યો હોય તે આલોઉં છું. (૧) જતાં માણસ પાસે હદ બહારની વસ્તુ મંગાવી હોય (૨) જતાં માણસ પાસે હદ બહારની વસ્તુ મોકલી હોય (૩) ખાંસી - છીકના શબ્દથી જતો માણસ બોલાવી હદ બહારનું ધારેલ કામ કરાવ્યું હોય (૪) કંઈ પણ રૂપ આકાર બતાવી જતો માણસ બોલાવી હદ બહારનું કામ કરાવ્યું હોય (૫) કાંકરાદિક પુદ્ગલ. ફેંકી જતો માણસ બોલાવી હદ બહારનું કામ કરાવ્યું હોય. ઉપર જણાવેલા પહેલા બે અતિચાર જાણ કે અજાણપણેથી અને બાકીના ત્રાણ અતિચાર કપટથી એ રીતે દસમાં દેશાવગાસિકવ્રતના પાંચ અતિચારમાંનો કોઈ પણ અતિચાર લાગ્યો હોય તો તસમિચ્છામિ دع વળી દસમાવતનું સ્વરૂપ બરાબર જાણ્યું ન હોય, દ્રવ્ય - ક્ષેત્ર -કાળ - ભાવથી મર્યાદા કરવી જોઈએ તે કરી ન હોય અને કરેલી મર્યાદાનું ઉલ્લંઘન કર્યું હોય, પાંચ સમિતિનું પાલન ન થયું હોય, દસમાવ્રતે દયા પાળતાં કે સંવર કરતાં ખાવા - પીવા કે લેવાની લાલચ રાખી હોય, આરંભ - સમારંભની વાતો કરી હોય - લીધેલા પચ્ચકખાણ યથાર્થ રીતે પાળ્યા ન હોય ઈત્યાદિક દશમાવતમાં આજના દિવસપર્યત દેશથી, સર્વથી, દિવસ સબંધી, રાત્રિ સબંધી અતિક્રમ - વ્યતિક્રમ -અતિચાર - અનાચાર જાણતાં અજાણતાં મન - વચન - કાયાએ કરી જે કોઈ દોષ સેવ્યો હોય તેવરાવ્યો કે અનુમોદ્યો હોય તો અનંતા સિધ્ધ, અરિહંત કેવલી ભગવંતની સાક્ષીએ તસ્સમિચ્છામિ દુક્કડં ! E F F (૩ર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76