Book Title: Paap Shuddhini Prakriya
Author(s): Gulabchandra Maharaj
Publisher: Laghaswami Jain Pustakalay

View full book text
Previous | Next

Page 48
________________ પાપ શુદ્ધિની પ્રક્રિયા પતિતને પાવન કર્યો, તમારા ઉપકારનો બદલો વાળી શકું તેમ નથી હે ગુરૂભગવંત! મેં ચૌદ પ્રકારનું સુપાત્રદાન આપી શાતા ઉપજાવી ન હોય, સેવાભક્તિ કરી ન હોય, તો આજના દિવસ પર્યત મારાથી કંઈ પણ અવિનય -આશાતના અભક્તિ - અપરાધ થયો હોય તો પંચાંગ નમાવી, હાથજોડી ભુજો ભુજો કરી ખમાવું છું. હે કૃપા સાગર! મારા પર કૃપા કરી ક્ષમા આપશો. હે ત્રણલોકના નાથ! જગતદિવાકર! વીતરાગદેવ! દેવાધિદેવ ચોવિશ તીર્થકરો! તમારો માર્ગ, તમારું શાસન, આલોકમાં ઉત્તમોત્તમ છે. આપે ધર્મ માર્ગ બતાવી અમારા પર મહાન ઉપકાર કર્યો છતાં મારી અલ્પબુદ્ધિ, અલ્પશક્તિ, અલ્પવીર્યના કારણે તેની બરાબર આરાધના થઈ ન હોય તો આજના દિવસ પર્યત કોઈ પણ પ્રકારે અવિનય - આશાતના - અભક્તિ - અપરાધ થયો હોય તો ભુજો ભુજો કરી ખમાવું છું. હે કૃપાલુદેવ! મારો અપરાધ ખમજો મારા ઉપર કરુણા કરી સબુદ્ધિ આપજો. અંતિમ ચાર શરાણની ભાવના હવે અંતમાં ચાર શરણની ભાવના ભાવું છું. અરિહંત, સિધ્ધ, સાધુ અને કેવળી પ્રરૂપિતધર્મ - એ ચાર શરણ જન્મ જરા અને મરણના દુ:ખ હરનારા છે. પરમમંગળ કરનાર શિવસુખના કારણ છે માટે ચાર શરણ આભવ - પરભવ કે ભવોભવ મને નિરંતર હોજો. ' શાર્દૂલવિક્રીડિત વૃત્તમ अर्हन्तो भगवन्त इन्द्रमहिता: सिद्धाश्च सिद्धिस्थिता, आचार्या जिनशासनोन्नतिकरा: पूज्या उपाध्यायकाः । श्री सिद्धान्तसुपाठका मुनिवरा रत्नत्रयाराधका:, पञ्चैते परमेष्ठिन: प्रतिदिनं कुर्वन्तु नो मंगलम्॥ १ ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76