________________
5] 199
પાપ શુદ્ધિની પ્રક્રિયા ઘણી વાર
તપના અતિચાર
નમુનો છે.
યશ
હવે અલ્પ કે બહુકાળના તપ દરમ્યાન જે કોઈ અતિચાર લાગ્યા હોય તે આલોઉં છું બાર પ્રકારના તપ છતી શક્તિએ કર્યાં ન હોય, કર્યાં હોય તો આલોક પરલોકના સુખની ઈચ્છાની કર્યાં હોય, કીર્તિ માટે તપ કર્યું હોય, દેખાદેખીથી સમ્યક્ સ્વરૂપ સમજ્યા વિના તપ કર્યું હોય, કોઈ માનતા કે સંસારી સુખની અપેક્ષાથી કે સાંસારિક દુ:ખ ટાળવા માટે કર્યું હોય, તપ કરીને અહંકાર કર્યો હોય, આત્મપ્રશંસા કરી હોય, તપનું ફળ માંગી લીધું હોય, અનાદર ભાવે કર્યું હોય, ઈત્યાદિક આજના દિવસ પર્યંત દિવસ રાત્રિ સબંધી દેશથી, સર્વથી, કંઈ પણ ખંડના વિરાધના થઈ હોય, અતિક્રમ, વ્યતિક્રમ - અતિચાર અનાચાર જાણતાં અજાણતાં વચન કાયાએ કરી જે કોઈ દોષ સેવ્યો સેવરાવ્યો કે અનુમોદ્યો હોય તો અનંત સિધ્ધ અરિહંત કેવલી ભગવંતની સાક્ષીએ તસ્સમિચ્છામિ દુક્કડં.
મન
-
-
વીર્યના અતિચાર
હવે વીર્યાચારમાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તે આલોઉં છું (૧) મનની પાપમય પ્રવૃત્તિમાં મનનું વીર્ય (શક્તિ) ફોરવ્યું હોય,(૨) વચનની અસત્ય પ્રવૃત્તિમાં વચનનું વીર્ય ફોરવ્યું હોય, (૩) કાયાની અશુભપ્રવૃત્તિમાં શરીરનું વીર્ય ફોરવ્યું હોય, એમ મનયોગ વીર્યાતિચાર, વચનયોગવીર્યાતિચાર, કાયયોગ વીર્યાતિચાર એ ત્રણ અતિચાર સબંધી કોઈ પણ અતિચાર લાગ્યો હોય તો અનંતા સિધ્ધ અરિહંત કેવલી ભગવંતની સાક્ષીએ તસ્સમિચ્છામિ દુક્કડં.
Jain Education International
આ રીતે જ્ઞાનના ૧૪, સમક્તિના ૫, બારવ્રતના (ચારિત્રના) ૭૫, સંલેખનાના (તપના) ૫, વીર્યના ૩ એમ કુલ ૧૦૨ અતિચારમાંનો કોઈ પણ અતિચાર સેવી વ્રતની ખંડના વિરાધના કરી હોય, જ્ઞાનાદિ પાંચ આચારના અતિચાર ૩૯, સમક્તિના -૫ તથા બારવ્રતના ૭૫ અને અનશનના ૫ એ પ્રમાણે ૧૨૪ દોષ માંનો કોઈ પણ દોષ સેવ્યો, સેવરાવ્યો કે અનુમોઘો હોય તો અનંતા, સિધ્ધ - અરિહંત, કેવલી ભગવંતની સાક્ષીએ તસ્સમિચ્છામિ
દુક્કડં.
-
૩૬
For Personal & Private Use Only
www.jainelibrary.org