Book Title: Paap Shuddhini Prakriya
Author(s): Gulabchandra Maharaj
Publisher: Laghaswami Jain Pustakalay

View full book text
Previous | Next

Page 40
________________ પાપ શદ્ધિની પ્રક્રિયા 'બારમા વ્રતના અતિચાર હવે બારમા અતિથિ સંવિભાગ વ્રતમાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તે આલોઉં છું. (૧) વહોરાવવા યોગ્ય અચિત્તવસ્તુ સચિત્ત ઉપર ઈરાદાપૂર્વક મૂકી હોય (૨) વહોરાવવા યોગ્ય અચિત્ત વસ્તુ સચિત્તથી ઈરાદાપૂર્વક ઢાંકી હોય (૩) કાળાતિકાન્ત વસ્તુ વહોરાવી હોય (૪) પોતે વહોરાવવા યોગ્ય હોવા છતાં બીજાને વહોરાવવાનો આદેશ કર્યો હોય (૫) દાન આપી અહંકાર કે પસ્તાવો કર્યો હોય એ બારમા વ્રતના પાંચ અતિચાર માંહેનો કોઈ પણ અતિચાર લાગ્યો હોય તો તસ્સમિચ્છામિ દુક્કડં. વળી સ્નેહથી કે મોહવશ અન્ન - પાણીમાં સાધુ - સાધ્વીની નિશ્રા રાખી હોય આધાકર્મી આદિ દોષ લગાડ્યા હોય, સાધુ આંગણે આવ્યા ત્યારે અપમાન કર્યું હોય, સાધુ - સાધ્વીજીને વહોરાવવા બાબતમાં ભેદભાવ રાખી પક્ષપાત કર્યો હોય, દેતાં મન દુભાયું હોય, છતી જોગવાઈએ કોઈ પણ વસ્તુની ના પાડી હોય, ભોજન સમયે સાધુ - સાધ્વીની ભાવના ભાવી ન હોય, જાણી બૂઝીને અસુઝતું વહોરાવ્યું હોય, ઉકરડા જેવા માનીને વહોરાવ્યું હોય ઈત્યાદિક આજના દિવસપર્યત દેશથી, સર્વથી, દિવસ - રાત્રિ સબંધી મુનિઓને દાન દેતાં ખંડના - વિરાધના કરી હોય કે કોઈ પણ દોષ સેવ્યો - સેવરાવ્યો કે અનુમોદ્યો હોય તો અનંતા સિધ્ધ, અરિહંત, કેવલી ભગવંતની સાક્ષીએ તસ્સમિચ્છામિ દુક્કડં. તપાચારની આલોયાણા સંથારાના અતિચાર હવે સંલેખાણા - સંથારામાં જે કોઈ અતિચાર લાગ્યા હોય તે આલોઉં છું. (૧) ચક્રવર્તીની પદવી આદિ - ભોગવિલાસ પામે તેવી આલોકના ૩૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76