Book Title: Paap Shuddhini Prakriya
Author(s): Gulabchandra Maharaj
Publisher: Laghaswami Jain Pustakalay

View full book text
Previous | Next

Page 44
________________ uuu શુદ્ધિની પ્રક્રિયા પ્રરૂપણા કરી હોય, (૧૮) મિથ્યાત્વ સેવ્યું હોય ખોટા દેવ -ગુરૂ - ધર્મની ઉપાસના કરી હોય - એ અઢાર પાપસ્થાનક દ્રવ્યથી - ક્ષેત્રથી - કાલથી -ભાવથી - જાણતાં -અજાણતાં -મન -વચન - કાયા એ કરી સેવ્યા - સેવરાવ્યા કે અનુમોઘા હોય તો અનંતા સિધ્ધ, અરિહંત, કેવલી ભગવંતની સાક્ષીએ તસ્સમિચ્છામિ દુક્ક! વીતરાગમાર્ગની શ્રધ્ધામાં અશ્રધ્ધા થઈ હોય તો તેની આલોચના શ્રી વીતરાગના માર્ગની શ્રધ્ધામાં અશ્રધ્ધા થઈ હોય તો આલોઉં છું. એક બોલ થી માંડી અનંતબોલ જાણવા યોગ્ય જાણ્યા ન હોય, છાંડવા યોગ્ય છાંડ્યા ન હોય, આદરવા યોગ્ય આદર્યા ન હોય, શ્રી ઋષભદેવ થી મહાવીર સ્વામી સુધીના ૨૪ તીર્થકરોને ભાવપૂર્વક વંદન કરું છું, ચોવિસે તીર્થંકરનો માર્ગ એકજ છે. તેના સમાન બીજે કોઈ ઉત્તમ માર્ગ નથી, આ માર્ગ કર્મોની નિર્જરા કરાવનાર છે, જન્મ જરા-મરણ આદિ અનેક દુ:ખોથી મુક્ત કરાવનાર છે. આત્મહિત કરનાર તથા મુક્તિ અપાવનાર માર્ગ આજ છે. આ માર્ગે ચાલનાર અનેક આત્મા સિદ્ધિપદને પામ્યા છે. આ માર્ગની સમ્યક પ્રકારે શ્રધ્ધા, પ્રતીતિ, સ્પર્શના કરવી જોઈએ, રુચિ રાખવી જોઈએ પણ અસમજણના લીધે શ્રધ્ધા બરાબર રહી ન હોય, પ્રતીતિ-સ્પર્શના કરી ન હોય, જિનાજ્ઞાનું પાલન કર્યું ન હોય. તેનાથી ઓછી અધિક કે વિપરીત શ્રધ્ધા-પ્રરૂપણા કે સ્પર્શના કરી હોય, માર્ગનો અનાદર કર્યો હોય તો આજના દિવસ પર્યત જે કોઈ દોષ સેવ્યો સેવરાવ્યો કે અનુમોદ્યો હોય તો અનંતા સિધ્ધ, અરિહંત, કેવલી ભગવંતની સાક્ષીએ તસ્સમિચ્છામિ દુક્કડં. (૩૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76