Book Title: Nyayavatar Sutra
Author(s): Sukhlal Sanghvi
Publisher: Shardaben Chimanbhai Educational Research Institute

View full book text
Previous | Next

Page 17
________________ ૧૦ ભાયાવતાર છીએ ત્યારે હૃદયમાં સાશ્ચર્ય આનંદ થવા સાથે જૈન તત્ત્વચિંતક મહર્ષિ પ્રત્યે બહુમાન થયા વિના રહેતું નથી. અને તત્ત્વચિંતન-મનનરૂપ તેઓની જ્ઞાનોપાસનાની મુક્ત કંઠે પ્રશંસા કરવા મન લલચાય છે. જૈન સાહિત્યમાં જ્ઞાનનિરૂપણની બે પદ્ધતિ નજરે પડે છે. પહેલી આગમિક અને બીજી તાર્કિક. આગમિક પદ્ધતિમાં મતિ, શ્રુત, અવધિ, મન:પર્યાય અને કેવલ એ રીતે જ્ઞાનના પાંચ ભેદો પાડી સમગ્ર જ્ઞાનવૃત્તિનું વર્ણન કરવામાં આવ્યું છે. તાર્કિક પદ્ધતિના બે પ્રકારો વર્ણવેલા છે. (૧) પહેલો પ્રકાર પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે ભેદનો; અને (૨) બીજો પ્રકાર પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને આગમ એ ચાર ભેદનો છે. પહેલી પદ્ધતિને આગમિક કહેવાનાં મુખ્ય બે કારણો છે: (મ) કોઈ પણ જૈનેતર દર્શનમાં નહિ વપરાએલા એવા મતિ, કૃત, અવધિ આદિ જ્ઞાનવિશેષવાચી નામો વડે જ્ઞાનનું નિરૂપણ કરવામાં આવ્યું છે તે; અને, (૬) જૈનથુતના ખાસ વિભાગ રૂપ કર્મશાસ્ત્રમાં કર્મપ્રકૃતિઓનું જે વર્ગીકરણ છે તેમાં જ્ઞાનાવરણીયકર્મના વિભાગ તરીકે મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ, મન:પર્યાયજ્ઞાનાવરણ, કેવલજ્ઞાનાવરણ (નહિ કે પ્રત્યક્ષાવરણ, પરીક્ષાવરણ, અનુમાનાવરણ, ઉપમાનાવરણ આદિ) એવા શબ્દો યોજાએલા છે તે. બીજી પદ્ધતિને તાર્કિક કહેવામાં પણ મુખ્ય બે કારણ છે: (૪) તેમાં યોજાએલ પ્રત્યક્ષ, પરોક્ષ, અનુમાન, ઉપમાન આદિ શબ્દો ન્યાય, બૌદ્ધ આદિ જૈનેતર દર્શનોમાં પણ સાધારણ છે તે; અને, (૨) પ્રત્યક્ષ, પરોક્ષ આદિપે સમગ્ર જ્ઞાનવૃત્તિનું પૃથકકરણ કરવામાં તર્કદષ્ટિ પ્રધાન છે તે. ગણધર શ્રી સુધર્મ પ્રણીત મૂળ આગમોથી માંડીને ઉપાધ્યાય યશોવિજયજીની કૃતિ સુધીનાં જ્ઞાનનિરૂપણ વિષયક સમગ્ર શ્વેતાંબર-દિગંબર વાડ્મય (માત્ર કર્મશાસ્ત્ર બાદ કરીને) આગમિક અને તાર્કિક બને પદ્ધતિઓનો સ્વીકાર કરાએલો છે. એ બેમાં આગમિક પદ્ધતિ જ પ્રાચીન હોય તેમ લાગે છે. કારણ કે જૈન તત્વચિંતનની ખાસ વિશિષ્ટતા અને

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58