Book Title: Nyayamanjari Ahanika 04 05
Author(s): Jayant Bhatt, Nagin J Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 295
________________ ૨૭૮ વાક્યાથ નિગ છે એ મત तत्रासी कल्प्यमानोऽपि नरकादिफलोदयः । अवैधत्वं प्रपद्येत न ह्याकाङ्क्षदृशी विधेः ॥ विधेरपेक्षे द्वे एव नियोज्यविषयौ प्रति । तत्पूरणेन तृप्तस्तु न वाञ्छति ततोऽधिकम् ॥ नियोज्यस्तावदेतावान्क्रुद्धोऽरिहननोद्यतः । विषयस्तन्निवृत्तिश्च नियोगो यत्र गम्यते ।। 258. શંકાકાર- વિધિ પ્રયજ્ય પુરુષને ફળમાં “ફળ કર’ એમ પ્રેરતો નથી. પરંતુ વિધિ તેને કર્મમાં યજ્ઞ કર’ એમ પ્રેરે છે. તેથી અધિકારીદશામાં નિષેધશાસ્ત્રને અવકાશ અપ્રતિહત છે. નિગવાક્ષાર્થવાદી– હે આયુષ્મન ! તે અમારા પક્ષને આશરો લીધો છે. જે વિધિ પુરુષને ફળમાં પ્રેરતો ન હોય તે, ફળની ઇચ્છાથી જ ફળના ઉપાયમાં પ્રવૃત્તિ કરતા પુરુષને વિધિ ઉપાયમાં પણ પ્રેરે નહિ, વિધિ તે ઉપાય ન જાણનારને ઉપાય જ દર્શાવે, કારણ કે જે અપ્રાપ્ત છે તે વિધિને વિષય છે. એટલે જ કહ્યું છે કે પુરુષ જાણે છે કે આ મારે કરવાનું છે, પરંતુ તે ઉપાય જાણ નથી”. “નૈન મમવાનું નેત' ( = શત્રુને મારવા તત્પર થનાર યાગ કરે' એની આ પ્રતીતિ પણ આવી છે. જે તું શાસ્ત્રીય ઉપાયથી વૈરીને હણવા ઉદ્યત થયો હોય તે ઘેનયાગથી હણ, સ્પેનયાગ તારો ઉપાય છે એ એને અર્થ છે. વધુ વિસ્તાર કરવાનું પ્રયોજન નથી. કામાધિકારોમાં વિધિને ફળની આકાંક્ષા નથી [કારણ કે નિજ્ય પુરુષ અને વિષય (યાગ એ બેને જણાવનાર બે પદેથી જ તે નિરાકાંક્ષ બની જાય છે.] ફળ તે અધિકારનું કારણ છે એમ સ્થિર થયું છે પ્રતિષેધાધિકારમાં પણ પ્રત્યવાય (અનર્થ) ઘટતું નથી. અર્થાત વિધિને તેની કોઈ અપેક્ષા નથી.] [ ન ન્યાન સવ મૂતાનિ'– કઈ પણ પ્રાણીની હત્યા ન કરો' આ પ્રતિષેધવાક્ય છે.) તેમાં નિષેધ્ય વિષય હનન છે, તેમાંથી જ અધિકારીની - હનન પ્રવૃત્ત (અરિહનનપ્રવૃત્ત) પુરુષની પ્રાપ્તિ થતી હોઈ પ્રતિષેધાધિકારમાં પણ પ્રત્યવાય અનર્થ ઘટતું નથી. પ્રતિધાધિકારમાં નરક વગેરે ફળની ઉત્પત્તિ કલ્પવામાં આવે તે પણ તે ક્ષેત્પત્તિ અવૈધપણું પામે છે, કારણ કે વિધિની આવી આકાંક્ષા નથી. અર્થાત વિધિને ફળની આકાંક્ષા નથી. વિધિને નિજ્ય પુરુષની અને વિષયની એ બેની જ આકાંક્ષા છે. તે આકાંક્ષા પુરાવાથી તૃપ્ત બનેલે વિધિ એથી અધિક કંઈ વાછતો નથી (અર્થાત તે ફળની આકાંક્ષા રાખતા નથી). પ્રતિષેધાધિકારમાં નિજ્ય પુરુષ આટલે જ છે- કુદ્ધ અને અરિહનને ઘત અને વિષય છે હનનનિવૃત્તિ જેને અનુલક્ષી નિગ (આજ્ઞા) જ્ઞાત થાય છે. 259. નતાવન વિવુદયામ નિવવધે છે વિષય તિ / “માવાઈ: कर्मशब्दास्तेभ्यः क्रिया प्रतीयते' इति [ जै०सू० २.१.१ ] स्थिते भावार्थस्तावत् पूर्वापरीभूतत्वाभावान्न विधेविषयः । नञर्थोऽपि न विधेविषयः, अनन्विताभिधानाच्च ।

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332