Book Title: Nyaya Bhuvanbhanu
Author(s): Jaysundarvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 127
________________ અવચ્છેદક શીતજલત્વ બનશે. જલત્વ એ જાતિ છે પરંતુ શીતજલત્વ કોઈ જાતિ નથી એ તો શીતસ્પર્શ અને જલત્વ (જાતિ) બે પદાર્થોનું જોડકું છે. એટલે એ બન્ને પ્રકારતાના અવચ્છેદક બનશે. એટલે પ્રકારતા શીતસ્પર્શાવચ્છિન્ન અને જલવાવચ્છિન્ન કહેવાશે. c શીતલજલનિષ્ઠપ્રકારતાનો અવચ્છેદક શીતસ્પર્શ બન્યો છે માટે શીતસ્પર્શમાં પ્રકારતાની અવચ્છેદકતા રહેશે. અત્રે શીતસ્પર્શ શીતસ્પર્શત્વરૂપે અવચ્છેદક બન્યો હોવાથી શીતસ્પર્શનિષ્ઠાવચ્છેદકતાનું અવચ્છેદક શીતસ્પર્શત્વ બનશે. એટલે એમ કહેવાશે કે શીતસ્પર્શતાવચ્છિન્ન અવચ્છેદકતા. D શીતલમાં રહેલી પ્રકારતા અને શીતસ્પર્શમાં રહેલી અવચ્છેદકતા તે બન્ને એક બીજાને સાપેક્ષ હોવાથી નિરૂપક-નિરૂપિત બની શકશે. એટલે એમ કહી શકાશે કે શીતસ્પર્શત્નાવચ્છિન્નાચ્છેદકતા નિરૂપિત પ્રકારતા. E આ પ્રકારતા જલત્નાવચ્છિન્ન પણ છે તેથી એમ કહેવાશે કે શીતસ્પર્શત્નાવચ્છિન્નાવચ્છેદકતાનિરૂપિત જલત્નાવચ્છિન્ન પ્રકારતા. - આ પ્રકારતા અને ઘટનિષ્ઠવિશેષ્યતા પરસ્પર સાપેક્ષ હોવાથી નિરૂપક -નિરૂપિત બની શકે છે. વળી વિશેષ્યતા પાછી ઘટવાવચ્છિન્ન છે અને એ વિશેષ્યતાનું નિરૂપક છેલ્લે જ્ઞાન છે. ઉપરોક્ત A થી સુધીના વિશ્લેષણને સૂચવવામાટે સમગ્ર વાક્ય પ્રયોગ આ રીતે થશે - - શીતસ્પર્શત્નાવચ્છિનાવચ્છેદકતા (શીતસ્પર્શનિષ્ઠા) નિરૂપિત જલવાવચ્છિન્ન પ્રકારતા (શીતજલનિષ્ઠ) નિરૂપિત ઘટત્નાવચ્છિન્ન વિશેષ્યતાનિરૂપકે “શીતજલવાનું ઘટ:' રૂાર જ્ઞાનમ્ યાદ રાખવા જેવું – “પર્વતઃ અગ્નિમાનું ધૂમાતુ' આ પ્રયોગમાં પર્વતમાં પક્ષતા છે, પક્ષતાવચ્છેદક પર્વતત્વ છે. સાધ્ય અગ્નિ છે, સાધ્યતાવચ્છેદક ધર્મ અગ્નિત્વ છે. હેતુ ધૂમ છે, હેતુતાવચ્છેદક ધર્મ ધૂમત્વ છે. અગ્નિરૂપ સાધ્યની સંયોગ સમ્બન્ધથી સિદ્ધિ અભિપ્રેત છે - માટે સાધ્યતાવચ્છેદક સમ્બન્ધ સંયોગ છે. ધૂમને સંયોગસમ્બન્ધથી હેતુરૂપે પ્રસ્તુત કર્યો છે - માટે હેતુતાવચ્છેદક સમ્બન્ધ સંયોગ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164