Book Title: Nyaya Bhuvanbhanu
Author(s): Jaysundarvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 148
________________ કરણ? તો જવાબ આપવો પડે કે “રૂપ અને રસનું. સમાનાધિકરણ શબ્દ આ અર્થમાં ભાગ્યે જ વપરાય છે. બીજો અર્થ બહુદ્રીહિસમાસ કરવાથી પ્રાપ્ત થાય છે - (સમાન અધિકરણ યસ્ય સઃ) જે બે ધર્મો એક જ અધિકરણમાં એક સાથે રહેતાં હોય તે બે ધર્મ પરસ્પર એકબીજાના સમાનાધિકરણ કહેવાય. દા.ત. રૂપ એ રસનું સમાનાધિકરણ છે અને રસ એ રૂપનું સમાનાધિકરણ છે. વ્યધિકરણ – જે બે ધર્મોના અધિકરણ ભિન્ન ભિન્ન હોય તે બે ધર્મોને પરસ્પર વ્યધિકરણ કહેવાય. અહીં બહુવતિ સમાસ વિપિન્ન ધરઈ ચર્ચા સ: આ રીતે કરવો. ટૂંકમાં કોઈપણ બે જાતિ જો પરસ્પર સમાનાધિકરણ હોય તો વ્યાપ્યવ્યાપક હોવી જ જોઈએ. અર્થાત્ પરસ્પર પરાડપરભાવ હોવો જોઈએ. વ્યાપ્ય-વ્યાપક જે ધર્મ બીજા ધર્મનો અવશ્ય સમાનાધિકરણ હોય તે ધર્મ વ્યાપ્ય કહેવાય. દા.ત. ઘટત્વ એ દ્રવ્યત્વનું અવશ્ય સમાનાધિકરણ હોય છે. (કારણ કે જે ઘડા હોય છે તે દ્રવ્યમાંથી જ બનેલા હોય છે.) પ્રશ્ન – વ્યાપક કોને કહેવાય? જવાબ કોઈ એકધર્મ બીજા ધર્મનો અવશ્ય સમાનાધિકરણ હોય તો તે બીજોધર્મ વ્યાપક કહેવાય. દા.ત. ઘટવધર્મ એ હંમેશા બીજા દ્રવ્યત્વ ધર્મનો અવશ્ય સમાનાધિકરણ હોવાથી બીજો ધર્મ દ્રવ્યત્વ એ ઘટત્વનો વ્યાપક કહેવાય. અહીં ઘણા ઉદાહરણો ઉપલબ્ધ થાય છે. વ્યાપક વ્યાપ્ય દ્રવ્યત્વ, ગુણત્વ દ્રવ્યત્વ પૃથ્વીત્વ, જલત્વ પૃથ્વીત્વ પાષાણત્વ, મૃત્વ મૃત્વ ઘટવા ગુણત્વ રૂપત્ર, રસત્વ શ્યામત્વ, નીલત્વ વ્યાપકનું ક્ષેત્ર વિસ્તૃત હોય છે. જ્યારે વ્યાપ્યનું ક્ષેત્ર એના કરતાં સંકુચિત હોય છે. પણ વ્યાપ્યનું વર્તુળ હંમેશા વ્યાપકના વર્તુળમાં સમાઈ જતું હોય છે. ઉદાહરણ જુઓ પૃષ્ઠ ૧૪૨. 8 ક ર્દક 8 8 8 8 8 8 8 8 8 £& ફ્ર છે ફ્રિ છે કે ક્રીક સ્ટંટ 68 8 8 8 8 8 8 8 8 9 ૨ ૧૪૧ સત્ત્વ રૂપત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164