________________
ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં ‘નમસ્કાર-મંગલ
નિર્ઝન્થ-દર્શનના શ્વેતાંબર તેમ જ દિગંબર સંપ્રદાય(તથા તે બન્નેના પેટા ફિરકાઓ)ને મંગલરૂપે “પંચપરમેષ્ઠી-નમસ્કાર” સમાન રૂપેણ માન્ય હોવા ઉપરાંત તેનું ઉપાસનામાં પ્રાકમધ્યયુગથી તો સર્વાધિક મહત્ત્વ પણ સ્થપાયેલું છે. પ્રસ્તુત મંગલનો પખંડાગમ(પ્રાયઃ ઈસ્વી ૪૭૫-૨૨૫)ને આધારે પ્રચલિત દિગંબર પાઠ (અને કોઈ કોઈ દાખલામાં તો શ્વેતાંબર પણ) આ પ્રમાણે છે:
णमो अरिहंताणं । णमो सिद्धाणं । णमो आयरियाणं । णमो उवज्झायाणं ।
णमो लोए सव्वसाहूणं । આ “નમસ્કાર-મંગલ'નું મોડેથી માંત્રિક દૃષ્ટિએ મહત્ત્વ સ્થપાવાથી તેને “મંગલ'ને બદલે “મંત્ર'નું અભિધાન પ્રાપ્ત થયું. તદતિરિક્ત એમાં સીધી રીતે નહીં નીકળી શકતા અનેકાનેક અને તાત્ત્વિક ઊંડાણભર્યા અર્થો કાઢવામાં આવ્યા, અને હજી આવી રહ્યા છે.
પ્રભાવક અને સિદ્ધિદાતા-મંત્રરૂપે મનાતું આ મંગલ તળપદા જૈન-ગુજરાતીમાં નોકાર' કહેવાય છે, જે ‘નવકાર' શબ્દ પરથી નીપજ્યું હશે; પણ અસલી આગમિક નામાભિધાન, મૂળ અર્ધમાગધી ભાષા અનુસાર તો, “નમુક્કાર” (પાઠાંતરે વા પ્રકારાન્તરે નમોક્કાર') છે, જેનું સંસ્કૃત ભાષાનું શુદ્ધ રૂપ “નમસ્કાર” છે. ઉપર્યુક્ત પાંચ પદોમાં નીચેનાં ચાર પદો નિર્યુક્તિકાળે જોડવામાં આવતાં મૂળનું “નમસ્કાર મંગલ', પછીનો ‘નવકાર મંત્ર', નવપદયુક્ત બને છે :
एसो पंच नमुक्कारो सव्व पावप्पणासणो। मंगलाणं च सव्वेसिं
पढमं हवइ मंगलम् ॥ પણ આ વધારાનાં ચાર પદો તો ઉપર્યુક્ત પંચ-નમસ્કારની કેવળ ફલ-પ્રશસ્તિરૂપે જ છે; એ મૂળ મંગલનો પાઠાંશ નથી, અને એ કારણસર ઈસ્વી છઠ્ઠી સદીથી બહુ પ્રાચીન પણ નથી. વ્યાખ્યાપ્રજ્ઞમિ(વર્તમાન સંકલન પ્રાય: ઈસ્વી ૩જી શતાબ્દી)ના ગ્રંથારંભે કે આવશ્યકસૂત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org