________________
ભાર અલ્પ બહુ મૂલ્ય, ચૌદ પૂર્વનું સાર છે, મંત્ર એ તેહને તુલ્ય : સકલ સમય અત્યંતર,
એ પદ પંચ પ્રમાણ, મહસુએ ખુદ તે જાણો,
ચુલા સહિત સુજાણ.” રત્નોથી ભરેલી પેટીનું વજન અતિ અલ્પ હોય છે, કિન્તુ મૂલ્ય અમૂલ્ય હોય છે, તેમ શ્રી નવકારમંત્ર એ શબ્દો વડે ટૂંકો છે, કિન્તુ અર્થ વડે અનન્ત છે : ચૌદ પૂર્વનો સાર છે. સર્વ સિધ્ધાન્તની. અંદર એ પાંચ પદો પ્રમાણભૂત માનવામાં આવેલ છે અને ચૂલિકાસહિત સમસ્ત શ્રી નવકાર મંત્રને મહા શ્રુતસ્કંધ તરીકે વર્ણવવામાં આવેલ છે. શ્રી નવકાર સિવાય અન્ય શાસ્ત્રોને મહા શ્રુતસ્કંધ નહિ, કિન્તુ કેવળ શ્રુતસ્કંધ તરીકે વર્ણવેલ છે. શ્રી નવદર મંત્રની ઉત્પત્તિ :
શ્રી નવકાર મંત્ર શબ્દાત્મક છે અને શબ્દો એ દ્રવ્યતા નિત્ય હોવા છતાં. પર્યાયતયા અનિત્ય છે, તેથી શ્રી નવકાર મંત્ર પણ દ્રવ્યતયા નિત્ય માનવો જોઇએ અને પર્યાયતયા અનિત્ય માનવો જોઇએ. શ્રી નવકાર મંત્ર એ ભાષાત્મક હોવાથી સદેવ શાશ્વત ન જ હોઇ શકે, એવી દલીલ કરનારા દ્રવ્ય ભાષા અને ભાવ ભાષાનું સ્વરૂપ સમજવા માટે સર્વથા નિષ્ફળ નિવડ્યા છે.
દ્રવ્ય ભાષા એ પુદ્ગલાત્મક છે અને પુગલના પર્યાયો અનિત્ય હોવાથી ભાષાના દ્રવ્યો પણ અનિત્ય જ છે.
કિન્તુ ભાવ ભાષા જે આત્માના ક્ષયોપશમરૂપ છે, તે આત્મદ્રવ્યની જેમ નિત્ય છે.
આ સ્થળે સમજી લેવું જોઇએ કે-શ્રી જૈન દર્શને માનેલ કોઇ પણ નિત્ય પદાર્થ એ કૂટસ્થ નિત્ય નથી, કિન્તુ પરિણામી નિત્ય છે. એટલે આત્મદ્રવ્ય પણ પરિણામી નિત્ય છે. ભાવ ભાષા એ આત્મગુણરૂપ હોવાથી તે પણ પરિણામી. નિત્ય છે.
શ્રી નવકાર મંત્ર દ્રવ્ય-ભાવ ઉભય સ્વરૂપે શાશ્વત છે : અથવા શબ્દથી અને અર્થથી તે નિત્ય છે, એમ જે કહેવાય છે તેની પાછળ અનેક અપેક્ષાઓ રહેલી છે. તેને સમજ્યા વિના જ સદેવ શાશ્વત એવા શ્રી નવકાર મંત્રને ભાષાત્મક હોવા માત્રથી અશાશ્વત કહી દેવા તૈયાર થવું, એ વિચારકો માટે લેશ પણ શોભાભર્યું નથી.
નવકાર (નમરાર) સૂત્ર.
નમો અરિહંતાણં, નમો સિધ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવન્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ પાવપણાસણો | મંગલાણં ચ સવ્વસિં, પઢમં હવઇ મંગલં |
૫. સંસ્કૃત છાયા.
Page 11 of 50