________________
नाणंमि दंसणंमि अ, इत्तो एगयरंमि उवउत्ता ।
सत्वस्स केवलिस्स, जुगवंदी नत्थि उवओगा ||३||" શરીર વિનાના, જીવના પ્રદેશો વડે ઘન, દર્શન અને જ્ઞાનમાં ઉપયુક્ત, તથા સાકારી અને અનાકારી, એ સિધ્ધોનું લક્ષણ છે. (૧) કેવલજ્ઞાનમાં ઉપયુક્ત હોવાથી સર્વ ભાવોના ગુણપર્યાયને જાણી રહ્યા છે તથા તેને જ અનન્ત એવી કેવળદ્રષ્ટિ વડે જોઇ રહ્યા છે. (૨) પ્રતિસમયે જ્ઞાનોપયોગ યા દર્શનોપયોગમાં ઉપયુક્ત છે (કારણ કે, સર્વ કેવળજ્ઞાની ભગવન્તોને એક સમયે બે ઉપયોગ હોતા નથી.”
શ્રી સિધ્ધ પરમાત્માના સ્વરૂપનું વર્ણન કરતાં વધુમાં જ્ઞાનીપુરૂષો માવે છે કે
“અવ્યાબાધપણાન પામેલા સિધ્ધાત્માઓને જે સુખ હોય છે, તે સુખ નથી હોતું મનુષ્યોને કે નથી હોતું સર્વ પ્રકારના દેવોને. સમસ્ત દેવગણના સુખને સર્વ કાળના પ્રદેશો વડે અનન્તગુણું કરવામાં આવે અને તેને અનન્તાનન્ત વર્ગો વડે ગુણવામાં આવે, તો પણ તે મુક્તિસુખની તોલે આવી શકે તેમ નથી. સિધ્ધના એક જીવનું સર્વ કાળનું સુખ એકત્ર કરવામાં આવે અને તેને અનન્ત ભાગો વડે ભાગવામાં આવે, તો પણ સર્વ આકાશપ્રદેશને વિષે સમાઇ શકે નહિ : અર્થા-સર્વ આકાશપ્રદેશ કરતાં સિધ્ધના જીવોનું સુખ અનન્તગણું છે.”
જેમ કોઇ ગામડીઓ બહુ પ્રકારના નગરગુણો ને જાણવા છતાં, ઉપમાના અભાવે તેને કહી શકતો નહીં, તેમ સિધ્ધોના સુખની કોઇ ઉપમાં નહિ હોવાથી, તેને કહી શકાતું નથી : તો પણ કાંઇક સમજમાં આવે તે ખાતર શાસ્ત્રોમાં ક્રમાવ્યું છે કે
જેમ કોઇ પુરૂષ સર્વ ઇચ્છાઓને તૃપ્ત કરનાર અમૃતતુલ્ય ભોજનનું ભક્ષણ કરી સુધાતૃષાથી વિમુક્ત બનેલો અત્યંત તૃપ્તિના સુખને અનુભવે છે, તેમ અતુલ એવા નિર્વાણસુખને પામેલા સિધ્ધાત્માઓ. પણ સર્વકાલ માટે તૃપ્ત છે તથા શાશ્વત અને અવ્યાબાધ સુખને પામેલા હોવાથી સદાકાળ સુખી છે.”
શ્રી સિધ્ધાત્માઓ સર્વકર્મથી નિર્મુક્ત થયેલા હોવાથી ‘સિધ્ધ' છે. અજ્ઞાનનિદ્રાથી પ્રસુત જગતને વિષે પારકાના ઉપદેશ વિના જીવાદિ તત્ત્વોને જાણનારા હોવાથી “બુધ્ધ' છે : સંસારના અથવા સર્વ પ્રયોજનસમૂહના પારને પામેલા હોવાથી “પારગત” છે : અને અનુક્રમે ચતુર્દશ ગુણસ્થાનક ઉપર આરૂઢ થઇને અથવા સમ્યગદર્શન, સમ્યગ જ્ઞાન અને સમ્યક્રચારિત્રનું ક્રમપૂર્વક આસેવન કરીને મુક્તિસ્થાનને પામેલા હોવાથી “પરમ્પરગત’ છે : કર્મકવચથી ઉન્મુક્ત છે તથા અજર, અમર અને અસંગ છે: અર્થાતશ્રી સિધ્ધના આત્માઓ સર્વ દુ:ખથી રહિત થયેલા હોય છે, જન્મજરા-મરણાદિનાં બંધનોથી વિમુક્ત બનેલા હોય છે અને સદાકાળ શાશ્વત અને અવ્યાબાધ સુખને અનુભવી રહ્યા હોય છે. એવા સિધ્ધોને કરેલા નમસ્કારનું ળ દર્શાવતાં પણ નિર્યુક્તિકાર ભગવાન માને છે કે
"सिध्धाण नमुक्कारो, जीवं मोएइ भवसहरसाओ ।
भावेण कीरमाणो, होइ पुण वोधिलाभाए ||१|| सिध्धाण नमुक्कारो, धन्नाणं भवख्यं करंताणं । हिअयं अणुम्भुयंतो, विसोत्तियावारओ होइ ||२|| सिध्धाण नमुक्कारो, एस खलु वनिआ महत्थोत्ति ।
जो मरणं मि उवग्गे, अभिक्खणं कीरइ बहुसो ||३|| सिध्धाण नमुक्कारो, सव्वपावप्पणासणो ।
मंगलाणं च सव्वेसिं पढमं हवइ मंगलं ||४||" “શ્રી સિધ્ધ પરમાત્માને કરેલા નમસ્કાર જીવને હજારો ભવથી મૂકાવે છે. ભાવપૂર્વક કરાતો તે નમસ્કાર વલી બોધિલાભને માટે થાય છે. (૧) શ્રી સિધ્ધોનો નમસ્કાર ધન્યપુરૂષોના ભવનો ક્ષય કરે છે, હૃદયમાં તેનું અનુસ્મરણ કરવાથી દુર્ગાનનો નાશ થાય છે. (૨) શ્રી સિધ્ધોને કરેલો નમસ્કાર, ખરેખર,
Page 31 of 50