________________
કર્મોનાં બંધનોથી વિમુક્ત અને સિધ્ધ થયેલ છે અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ અને અનંતવીર્યરૂપ અનંત ચતુષ્ટય જેઓને તેવા શ્રી સિધ્ધ પરમાત્માઓનું નિરંતર ધ્યાન કરો.
આ ઉપરથી સહજમાં ખ્યાલ આવી શકે એમ છે કે- આત્માનું સ્વરૂપ અનંતજ્ઞાનમય, અનંતદર્શનમય, અનંતસુખમય અને અનંતવીર્યમય છે અને તે સ્વરૂપને આચ્છાદિત કરનાર આત્મા સાથે અનાદિથી વળગેલ ગાઢકર્મ બંધન છે. માટે તે કર્મના બંધનને દૂર કરવામાંજ ઉધમની સાચી સફ્લતા છે. કારણ કે તેમ કરવામાં જ સાચી સ્વાતંત્રતાની પ્રાપ્તિ થાય છે. જ્યાં સુધી આત્માની સાથે મળીને એકમેક થઇ
લ કર્મને સર્વ પ્રકારે દૂર કરવાનો ઉધમ ન થાય ત્યાં સુધી સિધ્ધપદની પ્રાપ્તિ થઇ શકે તેમ નથી અને સંપૂર્ણ સ્વતંત્રતા, સંપૂર્ણ સમાનતા અને સંપૂર્ણ તથા શાશ્વત સુખ સિધ્ધ પદ સિવાય બીજે છે જ નહિ. દુનિયામાં તો તે વસ્તુઓનો અંશ પણ નથી.
નમો આયંરિયાણ
આચાર્ય ભગવંતાને નમસ્કાર થાઓ. શ્રી આચાર્ય ભગવંતો
આચાર્ય ચાર પ્રકારના છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. નામ અને સ્થાપના સુગમ છે. ‘દ્રભાચાર્ય' શિલ્પાદિ શાસ્ત્રોને શીખવનારા છે અને ‘ભાવાચાર્ય' પાંચ પ્રકારના આચારનું પાલન કરનારા, કરાવનારા અને ઉપદેશનારા છે. જ્ઞાનાદિ પાંચ પ્રકારના ભાવાચારોમાં ઉપયુક્ત હોવાથી, તેઓ ભાવાચાર્યો કહેવાય છે. એવા ભાવાચાર્યોને કરેલો નમસ્કાર, પૂર્વસંચિત પાપોનો વિનાશ કરનાર થાય છે. ભાવાચાર્ય, એ શ્રી જિનશાસનના આધાર છે, ચતુર્વિધ સંઘને ઉલ્લાસ પમાડનાર છે અને શ્રુતજ્ઞાનના બલે સકલા વસ્તુને પ્રકાશિત કરનારા છે. શ્રી જિનેશ્વરદેવો મુક્તિમાર્ગ બતાવીને મુક્તિમાં ચાલ્યા જાય છે, ત્યાર બાદ નિગ્રંથપ્રવચનનું ધારણ, પાલન અને પોષણ કરનાર આચાર્ય ભગવંતો જ હોય છે. ભાવાચાર્યો પાષાણમાં પણ અંકુરા ઉત્પન્ન કરવાની જેમ મૂર્ખ શિષ્યોને પણ પંડિત બનાવી દે છે. સૂત્રોમાં ભાવાચાર્યને શ્રી જિનેશ્વર સમાન કહ્યા છે અને તેમની આજ્ઞાનું શ્રી જિનની આજ્ઞાની જેમ પાલન કરવાનું માન કર્યું છે. ભાવાચાર્યોની આજ્ઞા વિના વિધા કે મંત્ર ળતા નથી : તેજ વિધા અને મંત્ર તેમની આજ્ઞાથી તત્કાળ ળે છે. ધર્મોપદેશ આપવામાં જેઓ નિરંતર ઉધત રહે છે તથા સૂરિ, ગણધર, ગણી, ગચ્છાધારી, અન્યાન, પ્રવચનધર, ભટ્ટારક, ભગવાન, મહામુનિ, સદ્ગુરૂ, મૃતધર, આદિ દીવ્ય નામોને ધારણ કરે છે, તેવા આચાર્યોને કરેલો નમસ્કાર પણ શ્રી અરિહંત અને શ્રી સિધ્ધ પરમાત્માને કરેલા નમસ્કારની જેમ અચિંત્ય ળને આપનારો થાય છે. શ્રી આચાર્યનમસ્કારનું વર્ણન કરતાં શ્રી નિર્યુક્તિકાર ભગવાન માને છે કે
"आयरियनमुक्कारो, जीवं मोयेइ भवसहस्साओ । भावेण कीरमाणो, होइ पूण बोहिलाभाए ||१|| आयरियनमुक्कारो, घनाणं भवक्खयं करंताणं । हिअयं अणुम्मुयंतो, विसोत्तियावारओ होइ ||शा आयरियनमुक्कारो, एस खलु वन्निओ महत्थोत्ति । जो मरणंगि उवग्गे, अभिक्खणं कीरइ बहुसो ||३||
आयरियनमुक्कारो, सव्वपावप्पणासणो ।
मंगलाणं च सव्वेसिं, पढम हवइ मंगलं ||४||" “શ્રી આચાર્ય ભગવંતોને કરેલો નમસ્કાર જીવને હજારો ભવોથી છોડાવે છે અને ભાવ પૂર્વક કરાતો તે બોધિના લાભને માટે થાય છે.
Page 33 of 50