________________ (3) જે જીવો પાપ કરાવનારા કર્મોનો નાશ કરવા ઇચ્છતા હોય તેઓને સુખ આપનારા કર્મો ગમે છે. ઉદયમાં પણ હોય છે એના કારણે સુખ આપનારા કર્મોની ઇરછાથી પાપ કરાવનારા કર્મો ચાલુજ રહે છે અને દુ:ખ આપનારા કર્મો પણ ચાલુ જ રહે છે માટે તે સર્વ પાપોથી મુક્ત કરાવનાર ન હોવાથી એ ભાવના અને વિચાર પાપોને વધારનારા ગણાય છે. આથી વચલા સુખ આપનારા કર્મોથી જીવ ગભરાય અને એનો નાશ કરવા પ્રયત્ન કરે અને એનો નાશ કર તોજ સર્વ પાપોથી જીવ મુક્ત થાય છે. આથી સર્વ પાપોથી મુકાવનારા આ પાંચેય પરમેષ્ઠિઓ હોવાથી સર્વ મંગલોમાં પ્રથમ મંગલ ગણાય છે. સામાન્ય રીતે મંગલ એટલે સારા કાર્યોમાં જે કોઇ વિપ્નો આવતાં હોય તે વિઘ્નો દૂર થઇને સારા કાર્યો સારી રીતે પૂર્ણ થાય અર્થાત પાર પડે તેને મંગલ કહેવાય છે. એમ અહીં પણ પાંચ પરમેષ્ઠીઓને કરેલો નમસ્કાર સર્વ મંગલમાં પ્રથમ મંગલ કહ્યું છે. શાથી ? જીવોને સુખ આપનારા પાપોથી મુકાવનારા હોવાથી એમાં જે કોઇ વિઘ્નો આવે એ વિપ્નોને દૂર કરીને સુખમય સંસારથી મુકાવવામાં સહાયભૂત થાય એટલે સુખમય સંસારથી જીવોને મુકાવતાં મુકાવતાં આત્મિક ગુણોમાં નિર્વિઘ્ન આગળ વધારતાં વધારતાં સંપૂર્ણ આત્મિક ગુણોને પેદા કરાવવામાં સહાયભૂત બને છે માટે સર્વ મંગલોમાં પ્રથમ મંગલ કહેલ છે. મામ્ ગાલયતિ ભવાન્ ઇતિ મંગલમ્ | મને (સુખયમ સંસારથી) ગાળે એટલે સુખમય સંસારને ગાળવામાં સહાયક બને માટે મંગલ કહેલું છે. સુખમય સંસાર કેવો છે ? તો જ્ઞાની ભગવંતો કહે છે કે જીવોને પાપથી દુ:ખ આવે છે, પુણ્યથી સુખ મલે છે છતાંય જગતના જીવો પાપ કરતાં હોય તો શા માટે કરે ? અનુકૂળ પદાર્થોના સુખ માટે. આથી જ્ઞાનીઓ કહે છે કે જે સુખ જીવ પાસે પાપ કરાવે અને એ પાપથી દુ:ખ આવે દુ:ખની પરંપરા ચાલે તો એ સુખ સારું કહેવાય કે ખરાબ ? માટે વિચારી સુજ્ઞ જીવો આ મહામંત્રને પામી સુખમય સંસારથી છુટવાની ભાવનાવાળા બની સંસારથી છૂટી મોક્ષને પામો એ અભિલાષા. GSSSSSSSSS Page 50 of 50