Book Title: Namaskar Mahamantranu Swarup Part 02
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 21
________________ ૩) હિંડોળારાગ. આ રાગ બરાબર ગાતા આવડનાર માણસ હિંડોળા ઉપર બેસી ગાય તો, હિંચકો નાખ્યા વગર પણ હિંડોળો આપમેળે ચાલવા માંડે છે. ૪) દીપકરાગ. આ રાગને યથાસ્થિત જાણનાર માણસ તેલનું કોડીયું ભરી, અંદર વાટ મૂકી, જો દીપકરાગ ગાય તો અગ્નિ વિના તે રાગના પ્રતાપે દીવાની જ્યોત પ્રગટ થાય છે. ૫) શ્રીરાગ. આ રાગ જો બરાબર ગાતા આવડતો હોય તો ગાતાની સાથે જ આકાશમાંથી લક્ષ્મીની વૃષ્ટિ થાય છે. ૬) માલકોષ. આ રાગ જો બરાબર ગાતા આવડતો હોય તો પાસે પડેલો પત્થર પણ ગાનના સાથેજ પોચો રૂ જેવો, માખણના પિંડ જેવો બની જાય છે. તીર્થંકર મહારાજાને તો જીવોને બોધ કરવા સિવાય બીજી કોઇ ઇચ્છા રહેતી નથી, તેથી માલકોષ રાગમાં દેશના આપવાથી ભવ્ય જીવોના હૃદય માખણ જેવા પોચા થઇ જવાથી કોઇક દીક્ષા, કોઇક દેશવિરતિ, કોઇક સમતિદ્રષ્ટિપણું. વિગેરે અંગીકાર કરે છે, તે જ કારણથી પરમાત્મા માલકોષ રાગથી દેશના આપે છે અને દેવતાઓ ભગવાનનો રાગ વીણાથી પૂરવાથી, સાકર, શેલડી, દ્રાક્ષ, કેરીથી પણ લાખોગણી મીઠી ભગવાનની વાણી સાંભળી ભવ્ય જીવોના હૃદય વૈરાગ્યથી વાસિત બની જાય છે. આ છ રાગો બહુ જ પ્રશસ્ત કહેલા છે. તેમાં માલકોષ વિશેષ પ્રશસ્ત છે. (૪) ચામર સુવર્ણની દાંડીમાં રત્નો જડેલા એવા ઉજ્જવલ ચાર જોડી ચામરોવડે દેવતાઓ ચારે દિશામાં ભગવાનને વીંજે છે. (૫) રત્નજડિત આસન-સિંહાસન, દેવતાઓ સમવસરણને વિષે ભગવાનને બેસવા માટે, રત્નજડિત પાદપીઠ સહિત, સુવર્ણ મય દિવ્ય સિંહાસન બનાવે છે. પ્રભુ પૂર્વ તરફ મુખ કરી તે સિંહાસન ઉપર બેસી ભવ્ય જીવોને ધર્મદેશના આપે છે. (૬) ભામંડલ - શરદ ઋતુના સૂર્યના કિરણ જેવું દિવ્ય ભામંડલ દેવતાઓ ભગવાનની પાછળ બનાવે છે. તેથી પ્રભુની પ્રભાની કાંતિ ભામંડલમાં સંક્રમણ થવાથી તમામ જીવો પ્રભુના દિવ્યરૂપને જોઇ શકે છે. જો ભામડલ ન હોય તો ભગવાનનું રૂપ અનંતગણું મનહર હોવાથી જેમ સૂર્યના સન્મુખ કોઇથી ન જોવાય તેમ પ્રભુ સન્મુખ જોઇ શકાય નહિ, કારણ કે પ્રભુનું રૂપ અનંતગણું છે. (૭) દુંદુભિ - દેવઆઓ આકાશમાં દુંદુભિ વગાડી જગતના જીવોને જણાવે છે કે પ્રમાદને ત્યાગ કરી ભગવાનની વાણીને સેવો. (૮) છત્ર - દરેક બાજુયે ત્રણ છત્રો, એમ ચારે દિશાએ મળીને બાર છત્રો પ્રભુના મસ્તક ઉપર હોય છે. તે. અતિશય એટલે ઉત્કૃષ્ટતા આ મૂલ ચાર છે. ૧. અપાયાપગમાતિશય - (અપાય = ઉપદ્રવ અને અપગમ = નાશ) આ બે પ્રકારનાં છે:અ-સ્વાશ્રયી-એટલે પોતાના સંબંધમાં અપાય એટલે ઉપદ્રવનો દ્રવ્યથી અને ભાવથી નાશ કર્યો છે દ્રવ્ય ઉપદ્રવ-સર્વ રોગો. ભાવ ઉપદ્રવ-અંતરંગ એવાં અઢાર ભૂષણ : अंतरायादान लाभवीर्यभोगोपभोगगा: । हासो रत्यरति र्भीति, जुगुप्सा शोक एव च ॥ कामो मिथ्यात्वमशानं निद्रा चाविरतिस्तथा । रागद्वेषौ च तौ दोषौ तेषासष्टादशाप्यमी ॥ (૧) દાનાંતરાય, (૨) લાભાંતરાય, (૩) વીર્યંતરાય, (૪) ભોગાંતરાય, (૫) ઉપભોગાંતરાય, (૬) હાસ્ય, (૭) રતિ, (૮) અરતિ, (૯) ભય, (૧૦) શોક, (૧૧) જુગુપ્સા = નિંદા, (૧૨) કામ, (૧૩) Page 21 of 50

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50