Book Title: Namaskar Mahamantranu Swarup Part 02
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 16
________________ ભાતેન્દ્રિય ભાવેન્દ્રિય બે પ્રકારે છે. એક લબ્ધિસ્વરૂપ અને બીજી ઉપયોગસ્વરૂપ. ઇન્દ્રિયાવરણ કર્મનો ક્ષયોપશમ તે લબ્ધિઇન્દ્રિય છે અને શબ્દાદિ વિષયોમાં ઇન્દ્રિયોને થતો પરિચ્છેદ (જ્ઞાન) તે ઉપયોગઇંદ્રિય છે. લબ્ધિઇન્દ્રિય હોય તોજ દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થાય છે. ઉપયોગઇન્દ્રિયની અપેક્ષાએ સર્વ જીવો એકેન્દ્રિય છે, કારણ કે-એક કાળે બે ઇન્દ્રિયોનો ઉપયોગ કોઇને હોતો નથો. લબ્ધિઇન્દ્રિયની અપેક્ષાએ સર્વ જીવો પંચેન્દ્રિય છે, કેમકે-બકુલાદિ વનસ્પતિઓને વિષે બીજી ઇન્દ્રિયોનો ઉપલંભ થાય છે. દ્રવ્યેન્દ્રિયોની અપેક્ષાએ જીવોનો એકેન્દ્રિયાદિ વ્યવહાર થાય છે. બાહ્યેન્દ્રિય રહિત છતાં લબ્ધિઇન્દ્રિય વડે સર્વ જીવો પંચેન્દ્રિય હોય છે, કારણ કે-બકુલાદિ વનસ્પતિઓમાં પાંચે ઇન્દ્રિયોનો ક્ષયોપશમ પ્રત્યક્ષ થાય છે. એમ જે કહ્યું તેની વિશેષ સમજ એ છે કેબકુલવૃક્ષ - શૃંગાર યુક્ત સુંદર સ્ત્રી મદિરાનો કોગળો કરે, અગર તેના શરીર વડે સ્પર્શ કરે, અગર ઓષ્ઠ વડે ચૂંબન કરે તો ફ્ળવાળું બને છે. એજ રીતે ચન્દનાદિના ગન્ધ વડે, સારૂં રૂપ જોવા વડે અગર મધુર શબ્દોના ઉચ્ચારણ વડે પણ તેને ફૂલવાપણું દેખાય છે. ચંપક વૃક્ષ - સુગંધી જળના સિંચન વડે પુષ્પોદ્ઘમાદિકને કરે છે. તિલક વૃક્ષ - સ્ત્રીના કટાક્ષ વડે અંકુરિત થાય છે. વિહરક વૃક્ષ - પંચમ સ્વર વડે પુષ્પ-અંકુરાદિકનો ઉદગમ કરે છે. ઈન્દ્રિયોની પ્રાસનો ક્રમ : પ્રથમ લબ્ધિન્દ્રિય પ્રાપ્ત થાય. ત્યાર બાદ દ્રવ્યેન્દ્રિય પ્રાપ્ત થાય. દ્રવ્યેન્દ્રિયમાં પ્રથમ બાહ્ય તથા નિવૃત્તિ ઇન્દ્રિય પ્રાપ્ત થાય. પછી આંતર નિવૃત્તિ ઇન્દ્રિયની શક્તિરૂપ ઉપકરણેંદ્રિયની પ્રાપ્તિ થાય, અને અન્તે ઇન્દ્રિયાર્થ-ઇન્દ્રિયને વિષયનો પરિચ્છેદ અર્થાત્ ઉપયોગ થાય છે. પરિષહોને નમાવનારા : માર્ગથી નહિ ડગવા અને વિશેષ નિર્જરા કરવા જે સહન કરવા યોગ્ય છે, તે ક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણાદિ ૨૨ પ્રકારના પરિષહો છે. તે સર્વ પરિષહોને શ્રી અરિહંતદેવો નમાવે છે. ઉપસર્નોને નમાવનારા : પીડા પામવાથી અગર જે વડે પીડા પમાય તે ઉપસર્ગ ચાર પ્રકારના છે. એક દેવથી થનારા, બીજો મનુષ્યથી થનારા, ત્રીજો તિર્યંચથી થનારા અને ચોથો આત્મસંવેદનીય. તેમાં રાગ નિમિત્તે-દ્વેષ નિમિત્તે તથા પરીક્ષા નિમિત્તે, અથવા એ ત્રણે નિમિત્તે દેવો તરફ્થી ઉપસર્ગ થાય છે. મનુષ્યો તરફ્થી પણ એ ત્રણ નિમિત્તો ઉપરાંત કુશીલ પ્રતિ સેવન નિમિત્તે પણ ઉપસર્ગો થાય છે. તિર્યંચો તરફ્થી ભય નિમિત્તે, દ્વેષ નિમિત્તે, આહાર નિમિત્તે તથા સંરક્ષણ નિમિત્તે ઉપસર્ગો થાય છે. આત્મસંવેદનીય ઉપસર્ગ ચાર પ્રકારના છે. ૧- નેત્રમાં પડેલા કણાદિ ખૂંચવા, ૨- અંગોનું સ્તબ્ધિત થવું, ૩- ખાડા વિગેરેમાં પડી જવું અને ૪- બાહુ વિગેરે અંગોનું પરસ્પર અથડાવું. એ સર્વ પ્રકારના Page 16 of 50

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50