Book Title: Maa Baap Chhokarano Vyavhar Granth
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 14
________________ જ હતાં ને ?! ગયો ભવ જો યાદ રહે તો દેખાય કે આ જ મા મારી વાઈફ હતી તો શું દશા થાય ? મોહ રહે ? છોકરો શ્રાદ્ધ સરાવે તો જ મુક્તિ થાય એવી માન્યતાના આધારે રાહ જુએ કાં તો બીજીને પરણે ! અલ્યા, એમ મુક્તિ થઈ જતી હોત તો ગીતાના જ્ઞાનની, ઉપનિષદોની શી જરૂર હતી ? આ સાધના વિ. કરવાની શી જરૂર ? છોકરાથી જ મુક્તિ થઈ જાય તો રસ્તો સીધો જ થઈ જાય ને ?! કેટલાંક તો છોકરાની રાહ જોતાં જોતાં પાંચ છ છોકરીઓની લાઈન કરી દે ! આ તે કેવો મોહ ? નાના નાના ભૂલકાં નાની જ વયે મરી જાય ત્યારે મા-બાપને કેટલું બધું દુઃખ લાગે ?! પણ એ ય ઋણાનુબંધનો હિસાબ સમજી સહી લેવું ! ગયા તે ગયા હવે જીવતા છે તેને સાચવી લેવાનું સારી રીતે. મરી ગયા પાછળ કલ્પાંત ના કરાય નહિ તો કલ્પના અંત સુધી ભટકવું પડે ! માટે તેના શુદ્ધ આત્માને નમસ્કાર કરી પ્રાર્થના પહોંચાડવી. એ સાર્થક થાય ! છોકરાં ઓછાં રીયલમાં હોય ? એ તો રીલેટીવમાં કહેવાય. પરમ પૂજ્ય દાદાશ્રીને ત્યાં દીકરો જન્મેલો. બધાંને પેંડા ખવડાવ્યા બે વરસ પછી પાછા પેંડા ખવડાવ્યા મિત્રોએ પૂછયું શેની પાર્ટી ? ત્યારે છેલ્લે કહ્યું, ‘મહેમાન આવ્યા હતા તે ગયા તેની’!!! પાછા બેબીશ્રી જન્મ્યાં ત્યારે ય આમ જ કરેલું !!! છોકરાં માટે બહુ હાય હાય કરે તો તેની જનાવર ગતિ બંધાય ! ગયા ભવના છોકરાંઓની કંઈ ચિંતા થાય છે ? અરે, એને તો યાદે ય કરીને કોઈ દુઃખી થાય છે ? ગર્ભપાત કરાય ? ના. એનાથી જાનવરગતિ બંધાય. માટે પહેલાં અજ્ઞાનતાથી એવું થયું હોય તેના ખૂબ પ્રતિક્રમણ કરવાં પડે. બાળક જન્મતાં જ મરી જાય એ શું ? એનું આયુષ્યકર્મ પ્રમાણે જ જીવે મરે ! આયુષ્ય પૂરુ થતાં જ ચાલવા માંડે ! આમાં કોઈનું ય ચાલે નહિ. માટે તેનો શોક ન કરતાં સ્વીકારી લેવું યોગ્ય ! ૧૪. સગાઈ રીલેટીવ કે રિયલ ? મા-બાપ છોકરાંની રીલેટીવ સંગાઈ છે. રિયલ નહિ. રિયલ હોય તો મર્યા પછી છોકરા જોડે જ જાય ! કોઈ ગયેલો દીઠો ?! રીલેટીવ સગાઈ છે માટે સાચવીએ તેટલું સચવાય. નહિ તો તુટી જતાં વાર નહિ લાગે. સામો ફાડે ફાડ કરે તો આપણે સાંધ સાંધ કરીએ તો જ સબંધ ટકે. કોઈને સુધારવા ના જવાય. નહિ તો કષાય થશે ને સામા થઈ દુશ્મન થશે ! કાયમનું હોય તો સુધારીએ. આ તો આ ભવ પૂરતું જ ને ?! આ માછલાની જાળ સારી પણ સંસારની તો જંજાળ કહેવાય ! આ તો પંખીઓનો માળો છે. સવાર થતાં ચકલાં જાય ઊડી ! આ પશુપક્ષીઓ સહજ જીવન જીવે છે ને મનુષ્યોએ વિકલ્પોની વણઝાર માંડી, બુદ્ધિને કારણે ! આ બધામાંથી પાર ઉતારવા તમામ જ્ઞાનીઓ એક જ સત્ય રસ્તો બતાડે છે કે પહેલું તો ‘રિયલમાં ‘હું કોણ છું' એ જાણી લે અને સંસારરૂપી નાટક ભજવીને મોક્ષે જા ચાલ્યો ! નાટકના પાત્રો ! નાટનાં છોકરાં ને નાટકની રાણી ! ઉપલક રહી નાટક ભજવવાનું છે. રાગદ્વેષ વગર ! આ બધી સગાઈઓ ઘાટવાળી છે ! એમાં જે કંઈ સાર ?! જયાં કંઈ ઘાટ નથી તે સાચો સંબંધ. ૧૫. એ છે લેણદેણ, ત સગાઈ ! છોકરાં સાથે પૂર્વભવના ઋણાનુબંધના હિસાબે જ પ્રેમ કે વેર મળે છે એવું જ્ઞાન પચાવીને, જે આવે તેનો સમભાવે નિકાલ કર્યા વિના કયાં છૂટકો છે ? પોતાના જ હિસાબનું ફળ પોતાને પાછું મળે છે તેને શાંતભાવે રહીને શમાવી લો તો ઉત્તમ. મા-બાપથી એમ ના બોલાય કે આ પેટ કયાંથી પાકયું ! દીકરીઓ બધાં હિસાબ વસુલ કરવા આવે છે. કોઈ જયોતિષ કે બાવાઓ પાસે જવાનો કંઈ માલ નથી. 25

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 315