Book Title: Lalit Vistara
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Kanchanben Bhagwandas Mehta Mumbai

View full book text
Previous | Next

Page 719
________________ ૬૧૬ લલિત વિસ્તરા : “યાવચ્ચગરાણું' સૂત્ર વિવેચન “શાસનભક્ત જે સુરવરા, વિનવું શિષ નમાય....લાલ; કૃપા કરે છે મુજ પરે, તે જિનવંદન થાય ત્યારે દેવયશા.”–શ્રી દેવચંદ્રજી આ “વેયાવગરણ ઇ. સૂત્રની વ્યાખ્યા– વૈવાવૃત્યકર – વૈયાવચ્ચ કરનારા, એટલે “પ્રવચનાર્થે વ્યાકૃત ભાવવાળા પ્રવચન-જિનશાસન અર્થે જેને ભાવ વ્યાપૃત છે, જિનશાસનની–તીર્થની સેવામાં–રક્ષામાં જેને ભાવ સદા પ્રવત્તી રહ્યો છે એવી અંબા, માડી આદિ શાસનરક્ષક દેવતાનો. શાંતિકર –શુદ્ર ઉપદ્રની શાંતિ-શમન કરનાર “સમ્યગૃષ્ટિ સમાધિકર ––સામાન્યથી અન્ય એવા સમ્યગ્દષ્ટિઓની સ્વપસંબંધી તેઓની જ સમાધિ કરનાર. આમ પ્રવચનસેવા, શાંતિ, સમાધિ કરવી એ જ એઓનું સ્વરૂપ છે એમ વૃદ્ધસંપ્રદાય છે. એટલે આમ પ્રવચનની સેવામાં જેને ભાવ વ્યાકૃત છે, જે ક્ષુદ્ર ઉપદ્રની શાંતિ કરનાર છે, અને સમદષ્ટિ જીતી જે સમાધિ કરનાર છે એવા આ સમ્યગ્દષ્ટિ દેવતાઓ છે, તેઓને આશ્રીને-ઉદ્દેશીને હું કાર્યોત્સર્ગ કરું અત્રે સ્તુતિ પણ આ વૈયાવૃત્યકર દેવતાની કહેવી, કારણુક કે તથા પ્રકારે ભાવની વૃદ્ધિ હોય છે. અને “તેના અપરિણાને પણ આ થકી તત્વમસિદ્ધિમાં આ જ વચન જ્ઞાપક છે.' તે વૈયાવૃત્યકર આદિના સ્વવિષયી યેત્સર્ગના અપરિજ્ઞને પગ, આ કાયે ત્સર્ગ થકી તે કાયોત્સર્ગકર્તાને શુભ સિદ્ધિમાં આ જ કાર્યોત્સર્ગ પ્રવર્તક વચન જ્ઞાપક-ગમક-જાવનાર છે-આપ્તપદિષ્ટપણાએ કરીને આવ્યભિચારિપણાને લીધે અર્થાત્ તે વૃિજ્યકર આદિ દેવતા છે પિતાને ઉદ્દેશીને કરવામાં આવતા કાર્યોત્સર્ગને ન જાણતા હોય તે પણ, આ કાયેત્સર્ગ થકી તે કાર્યોત્સર્ગ કરનારને વિજ્ઞઉપશમ-પુણ-બન્ધ આદિ સિદ્ધિ હોય છે, એ આજ કાયેત્સર્ગમા પ્રેરનાર આગમવચનથી જ જણાય છે, કારણ કે શુભ ભાવથી આડું અવળું હોય તે તે આપ્તપદિષ્ટ વચન આદેશે જ નહિં, એટલે બાપ્ત વયનથી આ આ દષ્ટ છે એ પરથી આ શુભ સિદ્ધિ અવશ્ય હોવી જ જોઈએ એમ શીધ્ર સમજાઈ જાય છે. અને “આ અસિદ્ધ નથી– અભિચારુકાદિમાં તથાદશનને લીધે.” આ થકી શુભસિદ્ધિ થાય છે એ અસિદ્ધ નથી, પ્રમાણરથી અપ્રતિષ્ઠિત નથી, કારણ કે અભિચારુક વગેરેમાં તથા પ્રકારે દર્શન થાય છે માટે. અભિચારુક અર્થાત્ સ્તંભનતંભન–મોહન આદિ કર્મમાં અને આદિ શબ્દથી શાંતિક પૌષ્ટિક આદિ શુભફલવાળા કર્મમાં, સ્તંભનીયસ્તંભનીય આદિના જાણવામાં ન હોય છતાં આપ્તપદેશથી સ્તોભનાદિ કર્મ કરનારને સ્તંભન-સ્તંભન આદિ ઈષ્ટફલનું પ્રત્યક્ષથી ને અનુમાનથી દર્શન થાય છે માટે. આમ “જે આપ્તપદેશ પૂર્વક કમ છે, તે તેના વિષયથી અજ્ઞાત છતાં તેના કર્તાને ઈષ્ટફલકારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764