Book Title: Lalit Vistara
Author(s): Haribhadrasuri, Bhagvandas Mehta
Publisher: Kanchanben Bhagwandas Mehta Mumbai

View full book text
Previous | Next

Page 723
________________ १२० લલિત વિસ્તર : પ્રણિધાનસૂવ–“જ્ય વીયરાય” સૂત્ર અર્થ-પ્રણિધાન–યથાશય જે જેને તીવ્રસંગહેતુ છે, તે થકી અત્રે ગલાભ હોય છે. જેમ અન્યએ કહ્યું છે તીવ્ર સગવતેને સમાધિ આસન્ન (નિટ) છે, મૃદુ-મધ્ય-અધિમાત્રપણાને લીધે તે થકી પણ વિશેષ (હેય છે), ઇત્યાદિ.૫ વિવેચન “દૂર કરો દાદા પાસજી, ભવ દુઃખકા ફંદા, વાચક જશ કહે દાસકું, દિયે પરમાનંદા–શ્રી યશોવિજયજી. અને પ્રાધાન્ન થારાથ–પ્રણિધાન તે યથાશય,–જે જેને તીવ્રસંગહેતુ છે તે—“ કચ્છ તીવ્રઉmહેતુ:'—જે જે જેને જે આશય જેને તીવ્ર સવેગને હેતુ હોય છે તે પ્રણિધાન છે. અર્થાત્ જે જે જેને આશય પ્રણિધાન છે તેનું પ્રણિધાન–પ્રનિધાન, પ્રસ્તુત ક્રિયામાં પ્રકૃષ્ણપણે સ્થાપન, તીવ્રસંગ હેતુ પ્રકૃષ્ટપણે ચિત્તન્યાસ, પૂરેપૂરું ચિત્તનું લગાડવું-મૂકવું, તે પ્રણિધાન કહેવાય છે, અને તે તેને તીવ્ર સંવેગને હેતુ હોય છે. “તે થકી અત્રે સાગ લાભ હોય છે?—બતતોત્ર સાઢામ:'–તે થકી–તીવ્ર સંવેગ થકી અત્રે પ્રણિધાનમાં સગલાભ–શુદ્ધસમાધિપ્રાપ્તિ હોય છે. આ અંગે અન્યદર્શનીઓએ પતંજલિ આદિએ કહ્યું છે–તીવ્ર સંવેગવંતને સમાધિ આસન્ન (નિકટ) છે–તીવ્રરંગાનામાસન્ન: સમાધિ:'–મૃદુ-મધ્ય-અશ્વિમાત્ર પણને લીધે તે થકી પણ વિશેષ હોય છે– મૃદુમાધિમત્રરાત તીવ્ર સંવેગવાને તતf :' ઇત્યાદિ. અર્થાત્ તીવ્રસંગવતેને—ઉત્કૃષ્ટસમાધિ નિકટ પ્રકૃષ્ટ મોક્ષાભિલાષવંતને-મુમુક્ષુઓને સમાધિ આસન-નિટ વતે છે,–જે સમાધિ થકી મન:પ્રસાદ-ચિત્તપ્રસાદ હોય છે. અત્રે તીવ્ર સંવેગમાં પણ તારતમ્ય-તરતમતા હોય છે, એટલે તીવ્ર સંવેગના મૃદુપણાથી-સુકુમાર પણથી, મધ્યપણાથી–અજઘન્ય અનુત્કૃષ્ટપણાથી, અધિમાત્રપણાથી–ઉત્કૃષ્ટપણાથી, તે થકી પણ–તીવ્રસંગ થકી પણ વિશેષ હોય છે, એટલે આસન, આસન્નતા, આસન્નતમ સમાધિ હોય છે. આદિ શબ્દથી “મૃદુ-મધ્ય ને અધિમાત્ર એવા યમનિયમાદિ ઉપાયથી સમવાય કરતાં” આ આસનાદિ ત્રિવિધ સમાધિના ત્રણ ત્રણ ભેદ કરતાં નવ પ્રકાર થાય છે. જેમકે–આસન મૃદુ સમાધિ, આસન મધ્ય સમાધિ, આસન અધિમાત્ર સમાધિ, આસન્નતર મૃદુ સમાધિ, આસન્નતર મધ્ય સમાધિ, આસન્નતર અધિમાત્ર સમાધિ આસન્નતમ મૃદુ સમાધિ, આસનતમ મધ્ય સમાધિ, આસનતમ અધિમાત્ર સમાધિ. આમ પ્રણિધાન તીવ્રસંગહેતુ હોય છે અને તીવ્ર વેગવંતને સમાધિ આસન નિકટ વતે છે, એટલે આમ પ્રણિધાન -પ્ર+નિધાન-પ્રકૃષ્ટ નિધાનની જેમ, આત્માને ગગુણ રત્નને પ્રણિધાન-પ્રકૃષ્ટ નિધાન થઈ પડે છે, એટલે તેને “પ્રણિધાન' નામ આપવામાં આવ્યું છે તે યથાર્થ જ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764