Book Title: Kumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
૧૪
વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૧ | ગાથાઃ ૧૩, ૧૪-૧૫
ગાથાર્થ -
દશવૈકાલિકસૂત્રમાં ચિત્રના સ્થાને રહેલી નારીને જોવાથી સાધુને વિકાર થાય છે માટે ચિત્રમાં રહેલી સ્ત્રીને જોવામાં દૂષણ બતાવ્યું છે, તો જિનપ્રતિમાને જોઈને જિનગણના સ્મરણરૂપ પરિણામને કારણે ગુણ કેમ ન થાય ? અર્થાત્ ગુણ થાય. /૧/૧all ભાવાર્થ :
દશવૈકાલિકસૂત્રમાં સાધુને ચિત્રમાં રહેલી નારીને જોવાનો નિષેધ કર્યો છે અને કહ્યું છે કે ચિત્રગત નારીને જોવાથી વિકાર થવાને કારણે દોષપ્રાપ્તિ થાય છે અને ચિત્રગત નારી એ નારીનો સ્થાપનાનિક્ષેપો છે તેથી દશવૈકાલિકના વચનાનુસાર નારીનો જો સ્થાપનાનિક્ષેપો વિકારનું કારણ બની શકે છે તો જિનપ્રતિમાને જોઈને જિનગુણના સ્મરણને કારણે વીતરાગ પ્રત્યે ભક્તિ ઉલ્લસિત થવાથી ગુણની પ્રાપ્તિ કેમ ન થાય ? અર્થાત્ થાય. જેમ નારીના ચિત્રને જોવાથી અશુભભાવથી કર્મબંધ થાય છે તેમ જિનપ્રતિમાનાં દર્શન કરવાથી શુભભાવ થવાથી નિર્જરા થાય છે. ll૧/૧૩ અવતરણિકા :
જંઘાચારણ લબ્ધિવાળા મુનિઓ જિનપ્રતિમાને નમે છે માટે પણ જિનપ્રતિમા પૂજ્ય છે તે બતાવવા અર્થે કહે છે – ગાથા :
રુચકદ્વીપે એક ડગલે જાતાં, પડિમા નમિય આણંદે; આવતાં એક ડગલે નંદીસરે, બીજે ઈહાં જિન વંદે રે.
જિનજી! ૧૪ ત્રિછી ગતિ એ ભગવઈ ભાખી, જંઘાચારણ કરી;
પંડગવન નંદન બહાં પડિયા, ઊર્ધ નમે ઘણેરી રે. જિનાજી! ૧૫ ગાથાર્થ -
એક ડગલે રુચકદ્વીપે જાતાં પ્રતિમાને નમીને આનંદ પામે છેઃ જંઘાચારણ લબ્ધિવાળા મુનિ આનંદ પામે છે, આવતાં રુચકદ્વીપથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152