Book Title: Kumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 120
________________ ૧૦૭ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ ઃ ૬ | ગાથા ૩-૪ ગાથાર્થ - ઉદ્દેશાદિ ક્રમ વિના જે ભણે જે આગમ ભણે, તે જ્ઞાનની આશાતના કરે છે, તેથી તે રીતે ભણવાથી, જ્ઞાનાવરણીયકર્મ બાંધે છે તે ભગવતીસૂત્રના વચનથી પ્રમાણ છે. IIS/3II ભાવાર્થ - તે તે શાસ્ત્ર ભણવા માટે તે તે શાસ્ત્ર પ્રત્યે વિનયની અભિવ્યક્તિ માટે યોગોદ્વહનની ક્રિયા છે. તે ક્રિયામાં પ્રથમ ઉદ્દેશની અનુજ્ઞા અપાય છે. ઉદ્દેશની અનુજ્ઞાને પામેલ સાધુ તે આગમના સામાન્યથી અર્થ ગ્રહણ કરી આગમ કંઠસ્થ કરે છે. ત્યારપછી સમુદેશની અનુજ્ઞા અપાય છે જેમાં તે શાસ્ત્રના વિશેષ અર્થને જાણીને તે સાધુ આગમ સ્થિર કરે છે. ત્યારપછી તે સાધુને ગ્રહણ કરેલા આગમના સૂત્ર અને અર્થને સ્થિર પરિચિત કરવાની અનુજ્ઞા આપવામાં આવે છે. જેથી તે સાધુ સૂત્ર અને અર્થને સ્થિર પરિચિત કરે છે. પછી અનુયોગની અનુજ્ઞા અપાય છે ત્યારે તે સાધુ ગુરુથી પ્રાપ્ત થયેલ અર્થ અનુસાર યોગ્ય શિષ્ય પાસે તે સૂત્રોનું વ્યાખ્યાન કરે છે. આ ક્રમ વિના જેઓ શાસ્ત્ર વાંચે છે તે ભગવાનના વચનની આશાતના કરી જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે એમ ભગવતીસૂત્ર નામના પાંચમાં અંગમાં કહેલ છે. માટે જેને ભગવાનના વચન પ્રત્યે સ્થિર શ્રદ્ધા હોય તે ભગવાનનું વચન માને, અન્યથા સમ્યક્ત્વ રહે નહિ. ૬/૩ અવતરણિકા : વળી યોગોદ્ધહતની વિધિ શાસ્ત્રમાં કહી છે તે બતાવવા અર્થે કહે છે – ગાથા : શ્રી નન્દી-અનુયોગદુવારમાં, ઉત્તરાધ્યયને રે યોગ; કાલગ્રહણનો રે વિધિ સઘલો કહ્યો, ધરિએ તે ઉપયોગ. સમકિત ૪ ગાથાર્થ : શ્રી નંદી-અનુયોગદ્વારમાં શ્રીનંદીસૂત્રમાં, અનુયોગદ્વારસૂત્રમાં, અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152