Book Title: Kumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 144
________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૬ | ગાથા : ૨૫ ધારણ કરવી જોઈએ અને દિલથી=હૈયાથી, કયારેય પ્રભુને વિસારવા જોઈએ નહીં. તો સુંદર યશને કરનાર એવું કલ્યાણ લહીએ=કલ્યાણ પ્રાપ્ત કરીએ. II૬/૨૫ના ભાવાર્થ: ભગવાનના ગુણોની સ્તુતિ કરવાથી જિલ્લા પવિત્ર થાય છે. તેથી ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત ગ્રંથમાં જિનવચનાનુસાર શ્રુતના યથાર્થ અર્થ કરીને ભગવાનના માર્ગનું જે ઉભાષણ કર્યું છે તેનાથી તેમણે પોતાની જિહ્વા પવિત્ર કરી છે. વળી ભગવાનની આજ્ઞાને મસ્તકે ધારણ કરવાથી કલ્યાણની પ્રાપ્તિ થાય છે અને ગ્રંથકારશ્રીએ ભગવાનની આજ્ઞાને મસ્તકે ધારણ કરીને પ્રસ્તુત ગ્રંથની રચના કરી છે. તેથી ગ્રંથના પદાર્થો ભગવાનની આજ્ઞાથી અન્યથા સ્થાપન કરાયેલા નથી. વળી ભગવાનને હૈયાથી કયારેય વિસારવા જોઈએ નહીં. ગ્રંથકારશ્રીએ હંમેશાં હૈયામાં વીતરાગને યાદ રાખીને વીતરાગ પ્રત્યેના પક્ષપાતપૂર્વક સર્વ કથનો કર્યાં છે તેથી સુયશને-સુંદર યશને, કરાવનાર એવા કલ્યાણને પ્રાપ્ત કરે છે. તેથી કલ્યાણના અર્થી જીવે ભગવાનનાં ગુણગાન કરીને સદા પોતાની જિહ્વા પવિત્ર કરવી જોઈએ. એટલું જ નહીં પણ હંમેશાં ભગવાનની આજ્ઞાને મસ્તકે ધારણ કરીને ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ કોઈ પ્રવૃત્તિ ન થાય તે રીતે સમ્યગ્ યત્ન કરવો જોઈએ. દરેક જીવોને પોતાની શક્તિ અનુસાર ઉચિત પ્રવૃત્તિ કરવાની ભગવાનની આજ્ઞા છે, તેથી ભગવાનની આજ્ઞાનું પાલન યોગ્ય જીવો માટે કયારેય અશક્ય અનુષ્ઠાનરૂપ નથી. માટે પોતાની ભૂમિકા અનુસાર ઉચિત અનુષ્ઠાનને જાણીને અને હૈયામાં વીતરાગના વચનનું સ્મરણ કરીને સર્વ ઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ જેથી સદ્ગતિઓની પરંપરારૂપ સુયશના કલ્યાણની પ્રાપ્તિ થાય. II૬/૨૫॥ Jain Education International ૧૩૧ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150 151 152