Book Title: Kumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 147
________________ ૧૩૪ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૭ | ગાથા : ૨-૩ અલ્પતર થાય છે, ચિત્ત વીતરાગના વચનથી ભાવિત થાય છે અને તેવા ચિત્તનો અનુભવ સર્વ કલ્યાણનું કારણ છે. અવતરણિકા : હવે, કેવા ગુરુ પાસેથી પ્રસ્તુત સ્તવનના અર્થ જાણવા જોઈએ ? તે ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે – ગાથા : જેહ બહુશ્રુત ગુરુ ગીતારથ, આગમના અનુસારીજી; તેહને પૂછી સંશય ટાલો, એ હિતશીખ છે સારીજી. ૨ ગાથાર્થ : જે બહુશ્રુત ગીતાર્થ ગુરુ છે અને આગમને અનુસરનાર છે ભગવાનના વચનાનુસાર પદાર્થને કહેનારા છે, તેમને પૂછી પ્રસ્તુત સ્તવનના ગંભીર અર્થો તેમને પૂછી, સંશયને ટાળો પ્રસ્તુત જીવનના અર્થના થતા સંશયને ટાળો, એ હિતશીખ છે સારી એ સાચી હિતશિક્ષા છે. II૭/ચા ભાવાર્થ : પૂર્વની ગાથામાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે આ સ્તવનના અર્થો અતિસૂક્ષ્મ છે. તેથી કહે છે કે જે ગુરુ ઘણાં શાસ્ત્રો ભણેલા છે, ગીતાર્થ છે અને ભગવાનના વચનને અનુસરનારા છે પરંતુ ક્યાંય ભગવાનના વચનના અર્થને સ્વમતિ અનુસાર જોડીને કહેનારા નથી તેવા ગુરુ પાસે પ્રસ્તુત સ્તવનના અર્થોને જાણીને ભગવાનના વચનમાં થયેલા સંશયને ટાળો. એ સુંદર હિતશિક્ષા છે અને તે હિતશિક્ષા અનુસાર યત્ન કરીને ભગવાનના વચનમાં સંદેહરહિત થતાં ભગવાનની ભક્તિ કરવાથી સર્વકલ્યાણની પરંપરાની પ્રાપ્તિ થાય છે. Il૭/રા અવતરણિકા - હવે, ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત સ્તવન કયા નગરે, કયા વર્ષે રચ્યું છે ? તે સ્પષ્ટ કરે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152