Book Title: Kumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 149
________________ ૧૩૬ વિરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૭ | ગાથા: ૪-૫ છે. તેમના શિષ્ય લાભવિજયજી બુધ ભવિજનરૂપી કેરવને કમળને, ખીલવવા માટે ચંદ્ર સમાન છે. તેમના શિષ્ય જીતવિજયજી બુધ અને નયવિજયજી બુધમુનિઓમાં ઈંદ્ર જેવા છેઃસુસાધુ છે. તેમના શિષ્ય વાચક પદવી ધરાવનાર શ્રીયશોવિજયજીએ વીર જિનેશ્વરને સ્તવ્યા છે. Il૭/૪ll. અવતરણિકા : આ પ્રમાણે ગ્રંથકારશ્રી પોતાની પરંપરાની સ્તુતિ કરીને સ્તવન કર્યું છે તેમ બતાવીને કોના માટે આ સ્તવન રચ્યું છે? તે બતાવે છે – ગાથા : દોસી મૂલાસુત સુવિવેકી, દોસી મેઘા હેતેજી, એહ તવન મેં કીધું સુંદર, શ્રુત અક્ષર સંકેતેજી; ગાથાર્થ : દોસી મૂલાના પુત્ર સુવિવેકી એવા દોસી મેઘાના માટે આ સુંદર સ્તવન શ્રતના અક્ષરના સંકેતથી મેં કર્યું છે શાસ્ત્રવચનના આધારથી મેં કર્યું છે. ગાથા : એ જિનગુણ સુરતરુનો પરિમલ, અનુભવ તો તે લહશ્કેજી; ભમર પરિ જે અરથી હોઇને, ગુઆણા શિર વહથ્રેજી. ૫ ગાથાર્થ : આ જિનગુણ-સુરતનો પરિમલરૂપ અનુભવ તો તે જીવો લેશે જેઓ ભ્રમરની જેમ અર્થી હોઈને અર્થી થઈને, ગુરુની આજ્ઞા શિરે વહેશે. Il૭/૫ll ભાવાર્થ - પ્રસ્તુત સ્તવનમાં ગ્રંથકારશ્રીએ ભગવાનના ગુણરૂપી સુરતરુનો વિસ્તાર કર્યો છે. તેના પરિમલનો અનુભવ તેઓને થાય કે જે જીવો ખરેખર આગમને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152