Book Title: Kumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 142
________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ ઃ ૬ | ગાથા : ૨૩-૨૪ ૧૨૯ ગ્રંથકારશ્રીમાં પ્રગટ થયેલું સમ્યકત્વ આજ્ઞાના પક્ષપાતપૂર્વક ભગવાનની સ્તુતિ કરવાથી દઢ થયું. આમ બતાવીને ગ્રંથકારશ્રીને એ પણ સ્પષ્ટ કરવું છે કે તેમણે પ્રસ્તુત ગ્રંથ લેશ પણ સ્વમતિથી રચ્યો નથી પરંતુ આગમરૂપ જે ભગવાનની આજ્ઞા છે તે આગમની પૂર્ણ મર્યાદાથી આ ગ્રંથ રચ્યો છે માટે અત્યંત પ્રમાણભૂત છે. તેથી તત્ત્વના અર્થી જીવો તેને ઉચિતરૂપે જાણવા પ્રયત્ન કરશે તો તેઓને પણ આગમના સાચા અર્થોની પ્રાપ્તિ થશે. ૬/૨૩ અવતરણિકા : વળી, ભગવાનની આજ્ઞાને પરતંત્ર થઈને ગ્રંથકારશ્રીએ પ્રસ્તુત સ્તવન રચ્યું છે, તેથી અવિચારકરૂપે સ્વપક્ષના સ્થાપનરૂપ કુમતિનું લેશ પણ જોર પ્રસ્તુત રચનામાં પ્રવર્તતું નથી, તે બતાવે છે – ગાથા : આણા તાહરી રે જો મેં શિર ધરી, તો ક્યે કુમતિનું જોર ? તિહાં નવિ પસરે રે બલ વિષધરતણું, કિંગારે જિહાં મોર. સમકિત ૨૪ ગાથાર્થ - જો તારી આજ્ઞા=ભગવાનની આજ્ઞા, મેં મસ્તક પર ધારણ કરી હોય તો શું કુમતિનું જોર હોય ? અર્થાત્ કુમતિનું જોર હોય નહીં. ગ્રંથકારશ્રી પોતાનું કથન દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે – જ્યાં મોર કિંગારે મોરનો કેકારવ હોય, તિહાં ત્યાં, વિષધરનું બલ પસરે નહીં સર્પોનું જોર વિસ્તાર પામે નહીં. ૬/૨૪ll ભાવાર્થ : જે જીવોને ભગવાનની આજ્ઞાનો તેવો તીવ્ર પક્ષપાત નથી પરંતુ સ્વ સ્વ મત પ્રત્યેનો તીવ્ર પક્ષપાત છે તેઓ જિનવચનને પ્રમાણ માનતા હોય તેવા પણ સ્થાનકવાસી આદિ ભગવાનના વચનના અર્થ કરતી વખતે સ્વપક્ષના જોરથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152