Book Title: Kumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 138
________________ ૧૨૫ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૬ | ગાથા : ૨૦-૨૧ આગમના વચનના બળથી પ્રતિમા પૂજ્ય છે અને પંચાંગીને પ્રમાણ સ્વીકારવી જોઈએ તેમ કહેનારી જે અત્યારસુધી યુક્તિઓ ગ્રંથકારશ્રીએ બતાવી તે સર્વે યુક્તિઓ આંધળા આગળ દર્પણ દેખાડવામાં આવે કે બહેરા આગળ ગીત ગાવામાં આવે તેના જેવી રીતવાળી છે; કેમ કે આંધળાને દર્પણ બતાવવાથી તેને દર્પણમાં પોતાનું મોં દેખાતું નથી તેને બહેરા પાસે ગીત ગાવાથી બહેરાને તે ગીતથી કાંઈ બોધ થતો નથી. તેમ મૂર્ખ આગળ ગમે તેવી સુંદર યુક્તિઓ બતાવવામાં આવે તો પણ તેઓને બોધ થતો નથી પરંતુ તેમની બુદ્ધિ જ્યાં અભિનિવિષ્ટ છે તે સ્થાનમાં તે યુક્તિને સંગત કરવા માટે પ્રયત્ન કરે છે માટે તેવા પુરુષને કહેલી યુક્તિથી કોઈ લાભ થતો નથી. તેથી ગ્રંથકારશ્રીએ તેવા પુરુષોને ઉદ્દેશીને આ સર્વ યુક્તિઓ બતાવી નથી. તો પ્રશ્ન થાય કે કેવા પુરુષને આશ્રયી આ યુક્તિઓ બતાવી છે તેથી હવે પછીની ગાથામાં કહે છે – II૬/૨૦| ગાથા : મારગ-અરથી પણ જે જીવ છે, ભદ્રક અતીહિ વિનીત; તેહને એ હિતશિખ સોહામણી, વલી જે સુનય અધીત. સમકિતo ૨૧ ગાથાર્થ : જે જીવ માર્ગના અર્થી પણ છે અને કોઈક રીતે સ્થાનકવાસીનો કહેલો વિપરીત માર્ગ મળેલો છે. આમ છતાં ભદ્રક અને અતિ વિનીત છે અર્થાત્ કદાગ્રહ વગર તત્વને જાણવા માટે અભિમુખ પરિણામવાળા છે, વળી જે સુનય અધીત છે તેવા જીવોને આ હિતશીખ=ગ્રંથકારશ્રીએ આગમવચનથી જિનપ્રતિમા પૂજનીય છે એમ સાબિત કર્યું તે હિતશીખ, સોહામણી છે. II૬/૨૧૫ ભાવાર્થ : કેટલાક જીવો પોતાની કુલમર્યાદાથી કે કોઈ સંયોગોથી સ્થાનકવાસીના માર્ગને પામેલા છે આમ છતાં સંસારથી ભય પામેલા છે અને સર્વજ્ઞએ કહેલા માર્ગના અર્થી છે અને પોતાને પ્રાપ્ત થયેલા સ્થાનકવાસી ધર્મ અનુસાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152