Book Title: Kumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 137
________________ ૧૨૪ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૬ | ગાથા : ૧૯-૨૦ આવેલ સૂત્ર-નિર્યુક્તિ સર્વને પ્રમાણ માને તો તેઓના મતે સર્વક્ષેમ થાયરસમ્યક્ત્વ થાય. II૬/૧લા અવતરણિકા : અત્યારસુધી ગ્રંથકારશ્રીએ પ્રતિમાને પૂજ્ય સ્વીકારવાની યુક્તિઓ શાસ્ત્રવચનથી બતાવી અને પંચાંગીને પ્રમાણ સ્વીકારવાની પણ અનેક યુક્તિઓ શાસ્ત્રમતિથી બતાવી. હવે તે યુક્તિઓથી કોને સન્માર્ગનો યથાર્થ બોધ થશે અને કોને નહિ થાય, તે ગાથા-૨૦ અને ગાથા-૨૧થી સ્પષ્ટ કરે છે – ગાથા : આંધા આગે રે દરપણ દાખવો, બહિરા આગે રે ગીત; મૂરખ આગે રે કહેવું યુક્તિનું, એ સવિ એક જ રીત. સમકિત ૨૦ ગાથાર્થ : આંધળા આગળ દર્પણ દેખાડો, બહિરા=બહેરા, આગળ ગીત ગાય તે જેમ નિરર્થક છે તેમ મૂરખ આગળ યુક્તિ કહેવી તે સર્વ એક રીતવાળું છે. અર્થાત્ આંધળા આગળ દર્પણ દેખાડવાની જેમ અને બહેરા આગળ ગીત ગાવા જેવું નિરર્થક છે. II૬/૨oli ભાવાર્થ જેઓ પોતાની માન્યતામાં અભિનિવિષ્ટ છે અને તેથી સ્થિર નિર્ણયવાળા છે કે પથ્થરની પ્રતિમા પૂજવાથી કાંઈ પ્રાપ્ત થાય નહિ. કેવળ પૂજાની પ્રવૃત્તિમાં હિંસા હોવાથી પાપની પ્રાપ્તિ થાય અને તે નિર્ણય હોવાને કારણે આગમને પ્રમાણ તરીકે સ્વીકાર્યા છતાં પંચાંગી પ્રમાણ નથી તેમ માની પંચાંગીના બળથી સિદ્ધ થતી પ્રતિમાની પૂજનીયતાને સ્વીકારવા તૈયાર નથી તેઓ શાસ્ત્રના અર્થના નિર્ણય કરવા માટે મૂર્ખ જેવા છે; કેમ કે સર્વજ્ઞનાં કહેલાં શાસ્ત્ર પ્રમાણ માને છે અને તે શાસ્ત્રના પારમાર્થિક અર્થને માનતા નથી અને સ્વમતિ અનુસાર અર્થ કરીને તેનાથી કલ્યાણ થશે તેમ માને છે. તેવા મૂર્ના આગળ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152