Book Title: Kumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 135
________________ ૧૨૨ વરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ટાળ : ૧| ગાથાઃ ૧૮ અવતરણિકા - નિર્યુક્તિ ન માનવામાં આવે તો સૂત્રના અર્થની પ્રાપ્તિ થાય નહીં તેમ બતાવીને નિયુક્તિ પ્રમાણ સ્વીકારવામાં ગ્રંથકારશ્રી યુક્તિ બતાવે છે - ગાથા : બદ્ધ તે સૂગે રે અર્થ નિકાચિયા, નિજુત્તિએ અપાર; ઉપવિમાન ગણનાદિક કિહાં લહે? તે વિણ માર્ગ વિચાર. સમકિત૧૮ ગાથાર્થ : સૂત્રમાં તે અર્થો બદ્ધ છે અને નિર્યુક્તિમાં અપાર ઘણા અર્થો નિકાચિત કરાયા છે દેટ કરાયા છે. માટે નિર્યુક્તિથી જ વિશેષથી અર્થની પ્રાપ્તિ છે. વળી, તે વિષ્ણુ નિર્યુક્તિ વગર, ઉપધિનું માન-સાધુની ઉપધિનું પ્રમાણ, ગણનાનું પ્રમાણ ઉપધિની સંખ્યાનું પ્રમાણ, વિગેરે ક્યાંથી પ્રાપ્ત થાય? અને તે વગર માર્ગનો વિચાર ન લહે સંયમજીવનના માર્ગનો વિચાર પ્રાપ્ત થાય નહિ. II/૧૮ll ભાવાર્થ સૂત્રમાં અર્થ નિબદ્ધ છે અર્થાત્ સૂત્ર સાથે અર્થ વાચ્ય-વાચક ભાવરૂપે જોડાયેલો છે અને તે સૂત્રનો વિશેષ અર્થ નિયુક્તિથી નિકાચિત કરાયો છે=સૂત્ર સાથે સુબદ્ધ કરાયો છે. માટે જો નિર્યુક્તિને પ્રમાણ ન સ્વીકારીએ તો નિર્યુક્તિ દ્વારા સુબદ્ધ કરાયેલો અર્થ માત્ર સૂત્રથી પ્રાપ્ત થાય નહિ. આથી સૂત્રના વિશેષ અર્થની પ્રાપ્તિ માટે નિયુક્તિને પ્રમાણ સ્વીકારવી જોઈએ. વળી, સૂત્રમાં સાધુની ઉપધિનું માન અર્થાત્ સાધુની વસ્ત્રાદિ ઉપધિ કેટલી લાંબી પહોળી જોઈએ તેનું માપ સૂત્રમાં બતાવાયું નથી તે જ રીતે ઉપધિની ગણના અર્થાત્ સાધુને કેટલી સંખ્યામાં કઈ ઉપધિ હોય તેનું પ્રમાણ પણ સૂત્રમાં બતાવાયું નથી પરંતુ નિયુક્તિમાં બતાવાયું છે. હવે જો નિર્યુક્તિ જ ન સ્વીકારીએ તો સંયમજીવનમાં કેટલા માનવાળી ઉપધિ જોઈએ ? કેટલી સંખ્યામાં ઉપધિ જોઈએ ? ઇત્યાદિની પ્રાપ્તિ થાય નહિ અને તે વિના સાધુના સંયમજીવનનો માર્ગ કેવા પ્રકારનો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152