Book Title: Kumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 136
________________ ૧૨૩ વરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૬ | ગાથાઃ ૧૮-૧૯ છે? તેનો વિચાર-નિર્ણય સાધુ સ્વયં કરી શકે નહિ. જેથી સંયમનો માર્ગ લોપ થાય. પણ, નિર્યુક્તિને પ્રમાણ સ્વીકારીએ તો નિયુક્તિના વચનથી તે સર્વની પ્રાપ્તિ થવાથી ભગવાને બતાવેલા માર્ગની પ્રાપ્તિ થાય. lls/૧૮ અવતરણિકા : સ્થાનકવાસીઓ આગમસૂત્રોનું પ્રમાણ સ્વીકારે છે અને નિર્યુક્તિ વગેરે પંચાંગીને પ્રમાણ સ્વીકારતા નથી અને તેઓ કહે છે કે નિર્યુક્તિ ભગવાનના વચનાનુસાર નથી, આગમસૂત્ર ભગવાનના વચનાનુસાર છે માટે પ્રમાણભૂત છે, નિર્યુક્તિ નહિ. તેને ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : જો નિર્યુક્તિ ગઈ કુમતિ કહે, સૂત્ર ગયાં નહિ કેમ? જેહ વાચનાએ આવ્યું તે સવે, માને તો હોએ ખેમ. સમકિત૧૯ ગાથાર્થ : જો કુમતિ=સ્થાનકવાસી, કહે કે નિયુક્તિ ગઈ ભગવાને જે અર્થોને કહ્યા તે અર્થોને કહેનારી આ નિર્યુક્તિ નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે સૂત્ર કેમ ગયાં નહિ=ભગવાને જે અર્થ કહ્યા તે અર્થને કહેનારાં સૂત્ર કેમ ગયાં નહિ? અર્થાત્ ભગવાને જે અર્થો કહ્યા તે અર્થોને ગણધર ભગવંતોએ સૂત્રમાં નિબદ્ધ કરેલા અને તે સૂત્ર કંઠોપકંઠ શિષ્યોને પ્રાપ્ત થતાં હતાં. ત્યારપછી તેની વિસ્મૃતિ થવાથી તે પણ નિર્યુક્તિની જેમ સાચા અર્થને કહેનારાં છે તે કેમ સ્વીકારી શકાય? અર્થાત્ જેમ નિર્યુક્તિ સાચા અર્થને બતાવી શકતી નથી તેમ સૂત્રો પણ સાચા અર્થને બતાવતાં નથી એમ માનવું જોઈએ અને જેઓ એમ કહે કે વાચનાએ આવ્યું તે સર્વ પ્રમાણ છે અર્થાત્ જ્યારે સાધુઓને સૂત્રોનું વિસ્મરણ થવા લાગ્યું ત્યારે ભગવાનના નિર્વાણ પછી નવસો વર્ષે જ્યાં આચાર્ય ભગવંતોએ ભેગા થઈ વાચના કરી અને તેમાં જે પ્રાપ્ત થયું તે સર્વ પ્રમાણ છે તેમ માને તો, સૂત્રની જેમ વાચના વખતે નિર્યુક્તિ પણ પ્રાપ્ત થઈ, માટે તેને પ્રમાણ માનવી જોઈએ અને જેઓ વાચનાએ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152