Book Title: Kumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 132
________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળ : ૬ | ગાથા : ૧૫-૧૬ ગાથા : તજિય અસજ્જાઈ ગુરુવાચના, લેઈ યોગ ગુણવંત; જે અનુયોગ ત્રિવિધ સાચો લહે, કરે તે કર્મનો અન્ત. ગાથાર્થ : અસજ્ઝાયનો ત્યાગ કરી ગુણવંત એવા સાધુ યોગ લહીને= યોગોહન કરીને, ગુરુ પાસેથી વાચના લે તે સાધુ ત્રણ પ્રકારનો સાચો અનુયોગ પ્રાપ્ત કરે છે અને તેનાથી સંસારનો અંત કરે ||૬/૧૫।। ૧૧૯ ભાવાર્થ : જે સાધુ સંસારથી ભય પામેલા છે તેઓ ભગવાનના વચન અનુસાર ત્રણ ગુપ્તિને ધારણ કરનારા હોઈ ગુણવંત હોય છે અને શાસ્ત્રવિધિ અનુસાર યોગને વહન કરી, અસજ્ઝાયકાલનો ત્યાગ કરી ગુરુ પાસેથી આગમની વાચના ગ્રહણ કરે છે. આ વાચના ત્રણ પ્રકારની છે. તે ત્રણ પ્રકારની વાચના દ્વારા સાધુ સૂત્રના સાચા અર્થને પ્રાપ્ત કરીને તેનાથી પોતાના આત્માને ભાવિત કરે છે. જેથી તે મહાત્મા કર્મનો અંત કરે છે. આ ત્રણ પ્રકારની વાચનામાં પંચાંગીનો સ્વીકાર થાય છે જે ગ્રંથકારશ્રી સ્વયં આગળ બતાવે છે. ૬/૧૫ અવતરણિકા : સમકિત૦ ૧૫ પૂર્વગાથામાં કહ્યું કે જેઓ વિધિપૂર્વક વાચના ગ્રહણ કરે છે તે ત્રણ પ્રકારનો સાચો અનુયોગ=સાચું વ્યાખ્યાન પ્રાપ્ત કરે છે. તેથી હવે તે ત્રણ પ્રકારના અનુયોગને સ્પષ્ટ કરે છે - Jain Education International ગાથા : સૂત્ર અરથ પહિલો બીજો કહ્યો, નિજુત્તીએ રે મીસ; નિરવશેષ ત્રીજો અંગ પંચમે, ઈમ કહે તું જગદીશ. સમકિત૦ ૧૬ ગાથાર્થઃ સૂત્ર અર્થ પહેલો કહ્યો=પહેલો અનુયોગ કહ્યો, બીજો અનુયોગ For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152