Book Title: Kumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 129
________________ ૧૧૬ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૬ | ગાથા : ૧૨-૧૩ ગાથા : સૂત્રે દીધું રે સત્ય તે સાધુને, સુરનારને વલી અત્ય; સંવરદ્વારે રે બીજે ઈમ કહ્યું, અંગ દશમે સમરત્વ. સમકિત ૧૨ ગાથાર્થ : ભગવાને સત્યવચનને કહેનારું સૂત્ર સાધુને આપ્યું છે અને દેવમનુષ્યને તેનો અર્થ આપ્યો છે. અર્થાત્ સૂત્ર આપ્યું નથી પરંતુ અર્થ આપ્યો છે તે પ્રમાણે પ્રશ્નવ્યાકરણસૂત્ર નામના દસમા અંગના બીજા સંવરદ્વારમાં કહ્યું છે. II૬/૧૨ા ભાવાર્થ : પ્રશ્નવ્યાકરણસૂત્ર નામના દસમા અંગમાં દસ પ્રકારનાં સત્યોનું વર્ણન કહ્યું છે અને તે સત્ય સૂત્રથી સાધુને આપ્યું છે. શ્રાવકને નહીં. વળી દેવતાઓ અને મનુષ્યો જે ભગવાનના વચન પ્રત્યે શ્રદ્ધાવાળા છે તેમને અર્થથી તે દસ પ્રકારનાં સત્યોનું સ્વરૂપ બતાવ્યું છે. આ કથન દસમા અંગના બીજા સંવરદ્વારમાં કહ્યું છે. તેથી એ ફલિત થાય છે કે સાધુ સૂત્ર અને અર્થના બળથી દસ પ્રકારના સત્યના પરમાર્થને જાણીને વચનગુપ્તિ અને ભાષાસમિતિને પ્રાપ્ત કરી સંવરભાવને પામે છે અને શ્રાવકો અને દેવતાઓ તે શાસ્ત્ર વચનના અર્થને સાંભળી સ્વભૂમિકા અનુસાર સંવરભાવને પામે છે. પરંતુ શ્રાવકો સાધુની જેમ સૂત્ર અને અર્થના અવલંબનથી સંવરભાવને પ્રાપ્ત કરી શકતા નથી. તેથી પણ ફલિત થાય છે કે શ્રાવક સૂત્ર ભણવાના અધિકારી નથી માટે અધિકારી એવા સાધુએ અત્યંત સંવરપૂર્વક અને યોગોદ્વહનપૂર્વક આગમ ભણવાં જોઈએ અને અધિકારી એવા શ્રાવકો સૂત્રો ભણે તો સૂત્રની આશાતનાને કારણે સમકિત રહે નહિ. I/૬/૧રના અવતરણિકા: હવે શ્રાવકને સૂત્ર ભણવાનો નિષેધ છે તે ઠાણાંગસૂત્રના વચનથી સ્પષ્ટ કરે છે – Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152