Book Title: Kumatimadgalan Veer Stutirup 150 Gathanu Hundinu Stavan
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 124
________________ વીરસ્તુતિરૂપ દોઢસો ગાથાનું સ્તવન | ઢાળઃ ૬| ગાથા : ૮-૯ ૧૧૧ સાધુને પ્રથમ જ્ઞાન અને પછી દયા કહી છે અર્થાત્ પ્રથમ શાસ્ત્ર ભણે પછી ષકાયના પાલનરૂપ દયા થાય છે તેમ કહ્યું છે, અને તેમાં= જ્ઞાનાભ્યાસપૂર્વકની આચરણામાં, સંયતનો ગુણ રેહ=શોભે. II૬/૮ ભાવાર્થ : યોગોદ્વહનપૂર્વક સૂત્ર ભણવાની વિધિ છે તે વગર સૂત્ર ભણવાનો નિષેધ છે. આથી જ શાસ્ત્રમાં શ્રાવક સૂત્ર ભણેલા છે એમ નથી કહ્યું, કેમ કે ત્રણ ગુપ્તિના સામ્રાજ્યવાળા નિર્લેપ મુનિ યોગોદ્વહનના અધિકારી છે, અન્ય નહિ. આમ છતાં શ્રાવકો પણ કલ્યાણના અર્થી છે માટે શ્રાવકોને “લબ્ધાર્થ” કહ્યા છે અર્થાત્ શ્રાવકો સીધાં આગમસૂત્રો ભણી શકતા નથી પણ આગમસૂત્રો પર રચાયેલા મહાપુરુષોના ગ્રંથો ભણીને અને ગીતાર્થો પાસેથી આગમના પરમાર્થને સાંભળીને “લબ્ધાર્થ” થયેલા છે. તેથી ફલિત થાય છે કે ગમે તેવી સુંદર પરિણતિવાળા શ્રાવક પણ યોગોદ્વહનના અનધિકારી હોવાથી સૂત્ર ભણતા નથી. માટે સૂત્ર ભણવાના અધિકારી એવા સાધુને પણ યોગોદ્વહનપૂર્વક જ સૂત્ર ભણવાં જોઈએ. વળી, જે સાધુ શક્તિ હોવા છતાં યોગોદ્વહન કરીને સૂત્ર ભણતા નથી તેઓમાં પરમાર્થથી સંયમ રહેતું નથી તે બતાવવા ગાથાના ઉત્તરાર્ધમાં કહે છે – “પ્રથમ જ્ઞાન પછી દયા કહ્યું છે. એટલે દીક્ષા ગ્રહણ કરીને સાધુ અવશ્ય પ્રથમ જ્ઞાન મેળવે તો તે જ્ઞાનથી નિયંત્રિત ઉચિત પ્રવૃત્તિ કરીને પકાયના પાલન રૂપ દયા પાળી શકે. અને તેમ કરે તો સાધુમાં સંયમગુણ શોભે. પરંતુ જેઓ વિધિપૂર્વક યોગોદ્વહન કરીને સૂત્રો ભણતા નથી અને તે સૂત્રોને સ્થિર પરિચિત કરીને તે સૂત્રોના અર્થોથી આત્માને ભાવિત કરતા નથી તેઓ સંયમની ક્રિયામાત્ર કરે છે એટલામાત્રથી સંયમ પ્રાપ્ત થતું નથી. ll૧/૮ અવતરણિકા : શ્રાવકો મોક્ષના અર્થી છે પણ સૂત્ર ભણવાના અધિકારી નથી. છતાં સૂત્ર ભણી સૂત્રથી વાસિત થયેલો આત્મા જ સંસારનો શીધ્ર અંત કરે છે તેવો બોધ છે જેને, તેવા શ્રાવકો શક્તિનો સંચય થાય એટલે તરત જ સૂત્ર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152